બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 11:35 PM, 24 September 2023
રાજકોટના ઉપલેટા પંથકમાં દફન કરાયેલી મહિલાની લાશને કોઈએ બહાર કાઢી હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મહત્વનું છે કે તાંત્રિક વિધિના નામે કોઈએ કબર ખોદી મહિલાના મૃતદેહ સાથે ચેડા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ઉપલેટા નજીક આવેલા ખાખીજાળીયા ગામના આ વિચિત્ર કિસ્સાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે ગામના લોકોએ આ ઘટનાની જાણ કરતા સબંધિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર ખાખીજાળીયા ગામે રહેતાં શાંતાબેન દાનાભાઈ સોલંકી નામના 50 વર્ષીય મહિલાનું ગઈકાલે બીમારી સબબ મોત નીપજ્યું હતું. સારવાર કારગત ન નીવડતા મહિલાનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારજનો દ્વારા વિધિવત રીતે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ દફન કર્યાના બીજા દિવસે મહિલાના મૃતદેહને કોઈએ ખોદી બહાર કાઢી નાખતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.
લોકોએ કરી તપાસની માંગ
આ મામલે ગ્રામજનોને જાણ થતા તેમણે ઉપલેટા મામલતદાર કચેરી અને ભાયાવદર પોલીસ સ્ટાફનો સંપર્ક કર્યો હતો આથી પોલીસે દોડી જઇ મહિલાના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતા. બીજી બાજુ પોલીસ દ્વારા નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. તો તાંત્રિક વિધિના નામે કોઈએ આ પ્રકારના ચેડા કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે અને પોલીસ પણ આ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને આગામી સમયમાં સત્ય પરથી પડદો ઉંચાઈ શકે છે.
મૃતદેહને નિર્વસ્ત્ર કરી વિધિ?
આ અંગે મૃતક મહિલાના પુત્ર કૈલાશભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે માતાનું બીમારી સબબ મોત નીપજ્યા બાદ શનિવારે તેમની દફનવિધિ કરાઈ હતી. ત્યારબાદ આજે રવિવારે અહીંથી પસાર થતાં એક વ્યક્તિને મૃતદેહના સ્થળે જમીન ખોદાયેલી અને વેરવિખેર થયેલી હાલતમાં જોવા મળી હતી. બાદમાં તેઓએ ગ્રામજનોને જાણ કરી હતી અને સમગ્ર મામલો ઉચ્ચકક્ષાએ પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓ ઉપરાંત મામલતદાર સ્ટાફ સાથે સામાજિક આગેવાન મહેશભાઈ ચૌહાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જ્યા મૃતદેહ દફનાવવામાં આવ્યો ત્યાં અજાણ્યા શખ્સોએ માટી ખોદી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તેઓએ કહ્યું કે તાંત્રિક વિધિના નામે કોઈએ મૃતદેહને નિર્વસ્ત્ર કરી વિધિ કરી હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે આરોપીને તાત્કાલિક પકડી સજા કરવામા આવે તેવી માંગ કરાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir