બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 500 years guru gochar on akshaya tritiya 2023 luck will shine for 3 zodiac signs

Guru Gochar 2023 / 500 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર ગુરુ ગોચરનો યોગ, આ 3 રાશિના જાતકોની કિસ્મત ચમકશે

Bijal Vyas

Last Updated: 11:13 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુ દેવ બૃહસ્પતિ 12 વર્ષ બાદ મેષ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યા છે અને જે દિવસે બૃહસ્પતિ મેષ રાશિમાં ગોચર કરશે તે દિવસે અક્ષય તૃતીયા છે

  • આજથી 500 વર્ષ બાદ બન્યો છે આ યોગ 
  • આ 3 રાશિઓને ધનલાભ, પ્રમોશન અને સફળતાના રુપમાં લાભનો આનંદ મળશે
  • ગુરુ ગોચર 2023 દરમિયાન આ રાશિના જાતકોની દરેક ઇચ્છાઓ પૂરી થશે

Guru Gochar on akshaya tritiya 2023: વૈદિક જ્યોતિષ અનુસાર 22 એપ્રિલ 2023ના રોજ બૃહસ્પતિનું ગોચર દરેક રાશિઓના જીવનને અલગ-અલગ રીતથી પ્રભાવિત કરશે. ખાસ કરીને ગુરુ દેવ બૃહસ્પતિ 12 વર્ષ બાદ મેષ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યા છે અને જે દિવસે બૃહસ્પતિ મેષ રાશિમાં ગોચર કરશે તે દિવસે અક્ષય તૃતીયા છે. 

ઉલ્લેખનીય છે કે, આવુ આજથી 500 વર્ષ પહેલા બન્યુ હતું અને હવે 22 એપ્રિલ 2023ના રોજ ફરી એકવાર અક્ષય તૃતીયા પર બૃહસ્પતિનુ ગોચર થશે. આ ઘટના રાશિ ચક્રથી દરેક રાશિને પ્રભાવિત કરશે. પરંતુ આ ગોચરનો લાભ  3 ભાગ્યશાળી રાશિઓને જ થશે. આ સમયમાં તે રાશિઓને ધનલાભ, પ્રમોશન અને સફળતાના રુપમાં લાભનો આનંદ મળશે. આવો જાણીએ આ રાશિઓ વિશે...

મીન રાશિમાં ગુરુ કરશે વક્રી, આ રાશિઓના લોકોને આવશે મુશ્કેલીભર્યો સમય | guru  gochar can affect these 3 zodiac sign person and cause problem in life

1. વૃષભ રાશિઃ આ રાશિના જાતકો બૃહસ્પતિના ગોચરના પરિણામરુપ સૌભાગ્યનો અનુભવ થઇ શકે છે કારણ કે બૃહસ્પતિ આ રાશિઓના 12માં ભાવમાં હશે. તો બીજી તરફ તમારી રાશિના સ્વામી અક્ષય તૃતીયા પર માલવ્ય રાજયોગ બની રહ્યાં છે. તેથી તમારા વ્યક્તિત્વ હવે વધુ સારુ બદલાશે. તે સાથે તમને આ અક્ષય તૃતીયા પર વસ્ત્ર, ઘરેણાથી લાભ થશે. આ ઉપરાંત ગુરુ ગોચર 2023 દરમિયાન તમારી દરેક ઇચ્છાઓ પૂરી થશે. પારિવારિક અને લગ્ન જીવનમાં સંતોષ મળશે. જો કે પૈસા ખર્ચ કરતી વખતે તમારે સાવધાની રાખવાની જરુર છે કારણ કે બિનજરુરી વસ્તુઓ પર પૈસા ખર્ચ થવાની શક્યતા છે. 

2. સિંહ રાશિઃ આ રાશિમાં જન્મેલા વ્યક્તિને બૃહસ્પતિનું આ ગોચર લાભપ્રદ રહેશે અને તેમને ભાગ્યશાળી આકર્ષકના આશીર્વાદ પ્રાપ્ત થશે કારણ કે સિંહ રાશિના જાતકો માટે બૃહસ્પતિ તેમના નવમાં ભાવમાં ગોચર કરશે. તમારી ઓફિસના કામ તથા વ્યવસાય સંબંધિત યાત્રાની સંભાવનાઓ છે અને આ રીતે તમારી વિદેશ યાત્રાની ઇચ્છા પણ પૂરી થશે. આ ઉપરાંત સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ રાશિમાં થવાનું કારણ અક્ષત તૃતીયા પર રાશિ ચક્રથી પાંચમાં સ્થાન પર ચાલી જશે. આ સમયમાં તમારા પરિવારની સાથે સાથે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ગુરુ ગોચર પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનુકુળ રહેશે અને તેમને ભણતરમાં લાભ થશે. 

અક્ષય તૃતીયાના દિવસે બની રહ્યો છે આ શુભ સંયોગ, સોનાની ખરીદીનું વધી જશે  મહત્ત્વ/ shubh muhurt for Akshay Tritiya muhurt for puja and buying gold

3. વૃશ્ચિક રાશિઃ આ રાશિના જાતકો માટે પણ ગુરુનો ગોચર શુભ સાબિત થશે કારણ કે આ ગોચર વૃશ્ચિક રાશિના જાતકોની કુંડલીમાં રાશિના જાતકોની કુંડલી છઠ્ઠા ભાવમાં જઇ રહ્યો છે. જો તમે કાનૂની મામલામાં ફસાયેલા છો તો આ સમયમાં તમને સફળતા મળશે અને કોર્ટ-કચેરીના નિર્ણય તમારા પક્ષમાં રહેશે. સાથે આ સમય તમારા સાહસ અને પરાક્રમ બંનેમાં વૃદ્ધિ થશે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છો તો જાતે જ ફર્મ ચલાવો. તે તમારા માટે ફળદાયી સાબિત થશે અને મોટો ફાયદો થવાની શક્યતા છે. જો તમે મકાન અને જમીનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો અક્ષય તૃતીયાનો દિવસ તમારા માટે ફાયદામંદ રહેશે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ