બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Malay
Last Updated: 08:03 AM, 12 August 2023
ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગુજરાતને જાણે અકસ્માતોનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. ઇસ્કોનબ્રિજ પર નવ લોકોના મોત થયા બાદ પોલીસના સતત બંદોબસ્ત અને ચેકિંગ વચ્ચે પણ અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. મોડી રાતે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના મોત થયા છે. પોલીસે ગુનો દાખલ કરીને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત: કેલનપુર પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, અકસ્માતમાં વડોદરાના બે યુવાનોના મોત#ahmedabadmumbainationalhighway #Accident #VTVGujarati pic.twitter.com/RR6kpiEKnJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 12, 2023
પુરઝડપે આવી રહેલી ટ્રકે એક્ટિવાને ટક્કર મારી
ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સતત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને બેફામ ડ્રાઈવિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં આવા વાહનચાલકોને જાણે કાયદા અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. મોડી રાતે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કેલનપુર પાસે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. પુરઝડપે આવી રહેલી ટ્રકે એક્ટિવાને ટક્કર મારી હતી.
પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી
ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર વડોદરાના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે મૃતક અમિત રાઠોડ અને પ્રકાશ સોની નામના બે યુવકોના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો વરણામા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાવળા-બગોદરા નજીક અકસ્માતમાં 11ના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદના બાવળા-બગોદરા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે PM, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir