બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 girls killed in accident between scooter and truck on Tharad-Sanchor highway
Kishor
Last Updated: 10:47 PM, 3 July 2023
બનાસકાંઠામાં અકસ્માતની વધુ એક ગોઝારી ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. જેમાં થરાદ - સાંચોર હાઇવે પર સ્કૂટર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ વેળાએ કાળમુખા ટ્રકની ઠોકરે 2 યુવતીઓને કાળ ભેટી ગયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે.
2 યુવતી કાળનો કોળિયો બની ગઈ
અકસ્માતની આ ઘટના મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર દૂધવા નજીક સ્કૂટર પર સવાર 4 યુવતીઓ સવાર થઈ હતી. આ વેળાએ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઇ અડફેટે લેતા 2 યુવતી કાળનો કોળિયો બની ગઈ હતી. જ્યારે 2 ને ગંભીર ઇજા થતાં તેઓને સારવાર અર્થે તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને લઈને બનાવસ્થળે લોકોના ટોળાં એકઠા થયા હતા. ઘટનામા મોતને ભેટનાર 2 યુવતીઓના મૃતદેહને પીએમ અર્થે થરાદ હોસ્પિટલ ખસેડાયા હતા. તો અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યા વધુ તપાસ હાથ ધરી હતી.
અન્ય એક અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં દારુની ગાડીનો પીછો કરતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાસકાંઠાના ધાનેરામાં કાર પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસ જ્યારે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી રહી હતી, તે વખતે આ ઘટના બની હોવાની ચર્ચા ચાલી રહી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 પોલીસના બાતમીદારના મૃત્યુ થયા હતા. જ્યારે અકસ્માતમાં 4 પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. કાર 3 દુકાનના શટર તોડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ચોર પરબડીથી દારૂની ગાડીનો પીછો કરતી વખતે કારા પલટી મારી ગઈ હોવાનું સામે આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ