બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / 15 people trapped in the craze of going abroad were rescued by Gujarat LCB from Delhi
Vishnu
Last Updated: 09:56 PM, 13 February 2022
કેનેડા બોર્ડર પર સર્જાયેલી કરૂણાંતિકા બાદ ગુજરાત પોલીસે આવી ઘટના ફરીથી ન બને એ માટે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મુખ્યમંત્રીની સૂચના બાદ પોલીસ આ મામલે સતર્ક થઈ કામગીરી કરી રહી છે. દિલ્લીથી LCB દ્વારા કબૂતરબાજીમાં ફસાનારા 15 લોકોને મુક્ત કરાવવામાં આવ્યા છે.વિવિધ દેશમાં લઈ જવાની લાલચ આપી આરોપીઓ તેમણે ગોંધી રાખતા હતા.
કબુતરબાજી કરનાર ગેંગના એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.
કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન?
કલોલનું એક કપલ વિદેશ જવાનું કહી ઘણા દિવસથી ગૂમ હતું જેની ફરિયાદ કરવા આવતા પોલીસ તેને શોધવા ટીમ દિલ્લી ગઈ હતી. જ્યાં એક બાદ એક પાસા ઉકેલવામાં આવતા દિલ્લીની એક નામચીન ગેંગ માણસોને ગોંધી રાખતી હોવાનો પર્દાફાશ થયો હતો. ગુજરાતમાંથી 15 લોકો 11 મહિનાથી આ ગેંગના સકંજામાં હતા. ફસાયેલા લોકોને દિલ્લીથી પશ્ચિમ બંગાળ લઈ જવાયા જ્યાં અપહરણકાર રૂપિયાની માંગ કરતા હતા.
રૂપિયા ન આપે તો નાના બાળકોને વેચી દેવાનો હતો કારસો
ગેંગના કબ્જામાં નાના બાળકો પણ હતા. જો રૂપિયા ન આપે તો બાળકોને હ્યુમન ટ્રાફિકિંગમાં વેચી દેવાનો પ્લાન હતો. સદનસીબે પોલીસ LCBની ટીમ ત્વરિત તપાસ સંભાળતા હાલ તો 15 લોકોને એજન્ટોની જાળમાંથી બચાવી લેવાયા છે પણ હજુ આવા તો કેટલાય લોકો હશે જે વિદેશમાં લાઈફ સેટ કરવાની હોડમાં ન ઘરના ન ઘાટના રહે છે. કોઈ પણ કમી વગર ઓપરેશન પાર પાડયા બાદ પોલીસ જનતાને કબૂતરબાજીમાં ન ફસાવવા અપીલ કરી રહી છે.
કોણ મુખ્ય આરોપી છે
કેનેડા બોર્ડર પર 4 ગુજરાતીઓના થયા હતા મોત
22 જાન્યુઆરીના રોજ કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. આ વચ્ચે કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 ગુજરાતીઓના મૃતદેહ મળ્યા હતા. ગુજરાતના ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતા પટેલ પરિવારનાં સદસ્યો હોવાની વાત સામે આવી હતી. વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મૃતદેહો ભારતીયોના હોવાનું સ્વિકાર્યું હતું. આ ચાર વ્યક્તિઓમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળ્યા હતા. આ ગમખ્વાર ઘટનામાં જીવ ગુમાવનારા જગદીશ પટેલ, વૈશાલી પટેલ, ધાર્મિક પટેલ અને ગોપી પટેલે જીવ ખોયો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir