બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 14 year old daughter was tortured by her father finally the innocent died
Dhruv
Last Updated: 04:10 PM, 13 October 2022
ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે 14 વર્ષની સગીરાની બલિ ચડાવી દેવાની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં 14 વર્ષીય માસુમ દીકરીને વળગાડ હોવાની આશંકાએ તેના પિતા અને મોટા બાપુજીએ જ તેની પર તાંત્રિક વિધિ કરી હતી.
પિતા દ્વારા સાત દિવસ સુધી અમાનુષી અત્યાચાર ગુજારાયો
દીકરીને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં જ 14 વર્ષની આ માસુમ પર તાંત્રિક વિધિ કરવામાં આવી. પિતા દ્વારા સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધિ કરીને તેની પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. બાળકીના પિતા અને મોટા બાપુજી દ્વારા તાંત્રિક વિધિના નામે ત્રાસ આપ્યો હતો. આથી, તાંત્રિક વિધિના નામે ત્રાસના કારણે 14 વર્ષની આ માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં પોલીસ પૂછપરછમાં મોતને ઘાટ ઉતારી દીધી હોવાની હચમચાવી હકીકતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જોકે તમને જણાવી દઇએ કે, પિતાએ પોતાની જ માસુમ દીકરીની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્ની અજાણ હતી. કારણ કે બાળકીના છૂપી રીતે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આથી અંતિમવિધિ બાદ બાળકીના મૃત્યુની તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાળકીનું મૃત્યુ કોઈ ચેપીરોગના કારણે થયાનું તેની જનેતા તથા કુટુંબીજનોને જણાવવામાં આવ્યું હતું.
પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો
આ ઘટનામાં દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી, બાળકીના પિતા ભાવેશ અને બાપુજી દિલી અકબરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા ફરિયાદ બાદ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આ ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નાનાને દોહીત્રીનું મૃત્યુ બીમારી નહીં પરંતુ તાંત્રિક વિધિના કારણે થયું હોવાની જાણ થઇ હતી. બાળકીના પિતાએ અને તેના ભાઈ દિલીપે તેની જ વાડીમાં તાંત્રિક વિધિ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જમાઈના મોટાભાઈ દિલીપભાઈને પૂછતા એવું જાણવા મળ્યું કે, 14 વર્ષની માસૂમને વળગાડ હોવાથી આ તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. બાળકી પર સતત બેથી ત્રણ દિવસ સુધી તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. આ તાંત્રિક વિધિ દરમિયાન બેથી ત્રણ દિવસ સુધી બાળકીને જમવાનું પણ નહોતું આપ્યુ. આથી તાંત્રિક વિધિના નામે અતિશય ત્રાસના કારણે બાળકીનું મૃત્યુ થયું.
પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે
વધુમાં ગીર સોમનાથમાં તાંત્રિક વિધિની આ ઘટના મામલે SP મનોહરસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'બાળકી પર તાંત્રિક વિધિ કરીને હત્યા કરવામાં આવી છે. 7 દિવસ સુધી બાળકી પર અત્યાચાર આચરવામાં આવ્યો છે. પોલીસે હાલ આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir