બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 14 year old daughter was tortured by her father finally the innocent died

કાળજુ કંપાવનારી ઘટના / ફૂલ જેવી દીકરીમાં વળગાડ હોવાનું કહી હેવાન પિતાએ ત્રાસ ગુજાર્યો, ખાવા-પીવાનું ન મળતા રિબાઈ-રિબાઈને મૃત્યુ

Dhruv

Last Updated: 04:10 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલાલાના ધાવા ગામમાં એક પિતાએ પોતાની માસુમ દીકરી સાથે સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધિ કરી અમાનુષી અત્યાચાર ગુજારતા માસુમનું મોત.

  • તાલાલામાં ધાવામાં તાંત્રિક વિધિના બહાને હત્યા
  • પિતા-મોટા બાપુજીએ જ માસુમ દીકરીનો જીવ લઇ લીધો
  • પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ

ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે 14 વર્ષની સગીરાની બલિ ચડાવી દેવાની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં 14 વર્ષીય માસુમ દીકરીને વળગાડ હોવાની આશંકાએ તેના પિતા અને મોટા બાપુજીએ જ તેની પર તાંત્રિક વિધિ કરી હતી.

પિતા દ્વારા સાત દિવસ સુધી અમાનુષી અત્યાચાર ગુજારાયો

દીકરીને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં જ 14 વર્ષની આ માસુમ પર તાંત્રિક વિધિ કરવામાં આવી. પિતા દ્વારા સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધિ કરીને તેની પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. બાળકીના પિતા અને મોટા બાપુજી દ્વારા તાંત્રિક વિધિના નામે ત્રાસ આપ્યો હતો. આથી, તાંત્રિક વિધિના નામે ત્રાસના કારણે 14 વર્ષની આ માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું.

આ ઘટનામાં પોલીસ પૂછપરછમાં મોતને ઘાટ ઉતારી દીધી હોવાની હચમચાવી હકીકતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જોકે તમને જણાવી દઇએ કે, પિતાએ પોતાની જ માસુમ દીકરીની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્ની અજાણ હતી. કારણ કે બાળકીના છૂપી રીતે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આથી અંતિમવિધિ બાદ બાળકીના મૃત્યુની તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાળકીનું મૃત્યુ કોઈ ચેપીરોગના કારણે થયાનું તેની જનેતા તથા કુટુંબીજનોને જણાવવામાં આવ્યું હતું.

પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

આ ઘટનામાં દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી, બાળકીના પિતા ભાવેશ અને બાપુજી દિલી અકબરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા ફરિયાદ બાદ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આ ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નાનાને દોહીત્રીનું મૃત્યુ બીમારી નહીં પરંતુ તાંત્રિક વિધિના કારણે થયું હોવાની જાણ થઇ હતી. બાળકીના પિતાએ અને તેના ભાઈ દિલીપે તેની જ વાડીમાં તાંત્રિક વિધિ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જમાઈના મોટાભાઈ દિલીપભાઈને પૂછતા એવું જાણવા મળ્યું કે, 14 વર્ષની માસૂમને વળગાડ હોવાથી આ તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. બાળકી પર સતત બેથી ત્રણ દિવસ સુધી તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. આ તાંત્રિક વિધિ દરમિયાન બેથી ત્રણ દિવસ સુધી બાળકીને જમવાનું પણ નહોતું આપ્યુ. આથી તાંત્રિક વિધિના નામે અતિશય ત્રાસના કારણે બાળકીનું મૃત્યુ થયું.

પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે

વધુમાં ગીર સોમનાથમાં તાંત્રિક વિધિની આ ઘટના મામલે SP મનોહરસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'બાળકી પર તાંત્રિક વિધિ કરીને હત્યા કરવામાં આવી છે. 7 દિવસ સુધી બાળકી પર અત્યાચાર આચરવામાં આવ્યો છે. પોલીસે હાલ આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ