બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / 100 hours of encounter in Kashmir: Army personnel hunted down terrorists from the forest
Priyakant
Last Updated: 10:58 AM, 17 September 2023
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર હાલમાં બંધ
100 કલાક પછી ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો
પરંતુ સેનાનું ઓપરેશન હજી પૂરું થયું નથી, ડ્રોનથી સતત નજર
Anantnag Encounter : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે 100 કલાકથી વધુ સમયથી ચાલી રહેલું એન્કાઉન્ટર હાલમાં બંધ થઈ ગયું છે. વાત જાણે એમ છે કે , લગભગ 100 કલાક પછી ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ સેનાનું ઓપરેશન હજી પૂરું થયું નથી. સતત વરસાદને કારણે સેનાના સર્ચ ઓપરેશન પર પણ અસર પડી છે. વાસ્તવમાં વરસાદને કારણે આતંકવાદીઓને છુપાઈ જવાનો મોકો મળે છે અને શોધખોળ પણ મુશ્કેલ બની જાય છે. ગોળીબાર બંધ થઈ ગયો હોવા છતાં આતંકવાદીઓ પર ક્વોડકોપ્ટર અને ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે. હવે આતંકીઓ તરફથી કોઈ ગોળીબાર કરવામાં આવ્યો નથી.
ગાઢ જંગલમાં છુપાયા છે આતંકીઓ
અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે બધા આતંકવાદીઓ માર્યા ગયા છે, પહાડી પરની ગુફામાં છુપાયેલા છે કે પછી ભાગી ગયા છે. સેના આતંકવાદીઓને મારવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ વિસ્તારમાં સેના પોતાનું સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, આ ગાઢ જંગલ વિસ્તાર છે. આ આખો વિસ્તાર ટેકરીઓ અને ખાડાઓથી ભરેલો છે. આ વિસ્તાર પીર પંજાલ ટેકરીઓ સાથે જોડાયેલો છે. સેનાએ કાર્યવાહીના વિસ્તારને કોર્ડન કરી લીધો છે, એટલે કે દોઢથી બે કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
VIDEO | Arms and ammunition recovered from terrorists who were killed by security forces in Jammu and Kashmir's Baramulla earlier today. pic.twitter.com/RhwBd6qkd4
— Press Trust of India (@PTI_News) September 16, 2023
ત્રણ જવાન થયા હતા શહીદ
નોંધનીય છે કે, મંગળવારે મોડી રાતથી સનાનું સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. જોકે લગભગ 100 કલાક બાદ શનિવારે રાત્રે ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો. સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ મંગળવાર-બુધવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં શહીદ થયા હતા. ત્યારથી સતત એન્કાઉન્ટર ચાલુ છે. એવી આશંકા છે કે, પહાડી પરની ગુફામાં લશ્કરના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા છે.
STORY | Three terrorists killed as security forces foil infiltration bid along LoC in J-K's Baramulla.
— Press Trust of India (@PTI_News) September 16, 2023
READ: https://t.co/Hnywho6aOG
VIDEO: pic.twitter.com/iTnjUOtGFR
સેનાના વરિષ્ઠ અધિકારીઓનું ઓપરેશન પર ચાંપતી નજર
નોર્ધન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ચિનાર કોર્પ્સના GOC લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ જેવા વરિષ્ઠ અધિકારીઓ આતંકવાદીઓ સામે થઈ રહેલી કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. આ અધિકારીઓએ એન્કાઉન્ટર સ્થળની પણ મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
Visuals from encounter site at Kokernag in Anantnag district of Jammu and Kashmir. (n/1) pic.twitter.com/25dK4DmJH5
— Press Trust of India (@PTI_News) September 16, 2023
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ