બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / 10 NSUI candidate Demand for ticket in Gujarat Election, know who has filed candidacy from which seat
Megha
Last Updated: 01:29 PM, 3 November 2022
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે.
NSUIના 10 હોદ્દેદારોએ વિધાનસભાની ટિકિટ માગી
આ ચુંટણીમાં ગુજરાત યુથ કોંગ્રેસના લોકો એ પણ ટિકિટ માંગી છે. NSUIના 10 હોદ્દેદારોએ વિધાનસભાની ટિકિટ માગી છે. મળતી જાણકારી અનુસાર કોડીનાર બેઠક પર NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની દાવેદારી નોંધાવી છે. ઉપરાંત અમરાઈવાડી બેઠક પર નારાયણ ભરવાડની દાવેદારી નોંધાવી ,દાણીલીમડા બેઠક પર સંજય સોલંકીએ ટિકિટ માંગી છે. જમાલપુર બેઠક પર શફાન રાઘનપુરી અને રાહિલ શ્રીમાનએ માગી ટિકિટ અને અસારવા બેઠક પર અજય સોલંકીની દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત નરોડા બેઠક માટે રોનક ભરવાડની દાવેદારી નોંધાવી છે અને બાપુનગર બેઠક માટે તોસિત મકવાણાએ દાવેદારી નોંધાવી. આ ઉપરાંત નિકોલ બેઠક પર શંકર પ્રજાપતિની દાવેદારી અને વટવા બેઠક પર અભય ગજ્જરે માગી ટિકિટ માંગી છે.
ધંધુકા, છોટાઉદેપુર, પાલનપુર બેઠક ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા
આ સાથે જ 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ માંગી ટિકિટ માંગી છે. ચુંટણી સમયે ધંધુકા, છોટાઉદેપુર, પાલનપુર બેઠક ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. જણાવી દઈએ કે ગુજરાત યુથકોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર નોંધાવી દાવેદારી નોંધાવી છે અને ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર દાવેદારી નોંધાવી છે. યુથકોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે બનાસકાંઠાની પાલનપુર બેઠક પર નોંધાવી દાવેદારી છે. અને સંજય ચૌધરીએ પાલનપુર બેઠક પર નોંધાવી દાવેદારી છે.
2017ની ચુંટણીમાં કેવા હતા હાલ
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir