બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / With Omicron Cases Rising, Is India On Verge of Third Wave? Top WHO Expert Replies

મહામારી / ઓમિક્રોનની એન્ટ્રી બાદ ભારતમાં ત્રીજી લહેર પર સૌથી મોટા સમાચાર, WHOનું મહત્વનું નિવેદન

Hiralal

Last Updated: 06:27 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી બાદ ત્રીજી લહેરની આશંકા પેદા થઈ છે.

  • ભારતમાં વધવા લાગ્યા ઓમિક્રોનના કેસ 
  • ઓમિક્રોનની એન્ટ્રી બાદ ત્રીજી લહેરની આશંકા 
  • WHOના ટોચના અધિકારીએ કહ્યું કે ત્રીજી લહેરનો ખતરો છે 

કોરોનાના અત્યંત ચેપી ગણાતા ઓમિક્રોન અત્યાર સુધીમાં 59 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. નવા વેરિયન્ટથી ભારતમાં ત્રીજી લહેરની ચિંતા પેદા થઈ છે. WHOના સાઉથ ઈસ્ટ એશિયા માટે રિજિનલ ડિરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રપાલે જણાવ્યું કે નવા વેરિયન્ટનો મતલબ એવો નથી કે પરિસ્થિતિ ખરાબ થશે પરંતુ નિશ્ચિત રીતે સ્થિતિ અનિશ્ચિત થશે. 

દુનિયા પર મહામારીનો ખતરો યથાવત 
તેમણે કહ્યું કે મહામારીનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. નવા વેરિયન્ટના આવ્યા બાદ અને દુનિયાના બીજા હિસ્સામાં વધી રહેલો કેસને જોતા વૈશ્વિક સ્તરે કોવિડ-19નું જોખમ ઘણું વધ્યું છે. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયા વિસ્તારમાં આપણે હથિયાર હેઠા ન મૂકવા જોઈએ. આપણે દેખરેખ વ્યવસ્થા, પલ્બિક હેલ્થ અને સામાજિક ઉપાયોને મજબૂત કરવાનું ચાલુ રાખવું જોઈએ અને વેક્સિનેશનનો વ્યાપ વધારવો જોઈએ. 

રવિવારે ભારતમાં નોંધાયા વધુ 4 કેસ, કુલ કેસ થયા ઓમિક્રોનના 37 
ભારતમાં ઓમિક્રોનના કેસ વધવા લાગ્યા છે. રવિવારે ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા છે, કર્ણાટકમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ નોંધાયો છે જ્યારે ચંદીગઢ અને આંધ્રપ્રદેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. સાઉથ આફ્રિકાથી આવેલો 34 વર્ષીય શખ્સમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં હતા, તેનો ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટીવ આવ્યો છે. કર્ણાટકના હેલ્થ મિનિસ્ટર ડોક્ટર સુધાકરે જણાવ્યું કે ઓમિક્રોન પોઝિટીવ શખ્સને આઈસોલેટ કરી દેવાયો છે અને તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની સાથે સંપર્કમાં આવેલા 5 પ્રાઈમરી અને 15 સેકન્ડરી સંપર્કોને શોધી કાઢવામાં આવ્યાં છે અને તેમના સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ