બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Will there be a big relief in the budget this year? Nirmala Sitaraman hinted about the middle class
Priyakant
Last Updated: 11:04 AM, 16 January 2023
કેન્દ્રીય બજેટ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન સામે આવ્યું છે. સિતારમણે કહ્યું છે, તેઓ મધ્યમ વર્ગના દબાણથી વાકેફ છે. પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, વર્તમાન સરકારે તેમના પર કોઈ નવો ટેક્સ લગાવ્યો નથી. નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ લોકસભામાં 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એવી અપેક્ષા છે કે, સરકાર આવકવેરાની મર્યાદા વધારશે અને મધ્યમ વર્ગના કરદાતાઓ અને અન્ય લોકોને રાહત આપશે. નિર્મલા સીતારમણનું આ પાંચમું બજેટ હશે.
શું કહ્યું નિર્મલા સીતારમણે?
મહત્વનું છે કે, RSSના મુખપત્ર પંચજન્ય પત્રિકાના એક કાર્યક્રમમાં નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું પણ મધ્યમ વર્ગની છું, તેથી હું મધ્યમ વર્ગના દબાણને સમજી શકું છું. હું મારી જાતને મધ્યમ વર્ગ સાથે ઓળખું છું, તેથી હું જાણું છું. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે મધ્યમ વર્ગ પર કોઈ નવો કર લાદ્યો નથી. ઉપરાંત તેમણે કહ્યું કે 5 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ છે.
વધી રહ્યો છે મિડલ ક્લાસ વર્ગ
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સરકારે 27 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક વિકસાવવા અને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવા 100 સ્માર્ટ સિટી બનાવવા જેવા અનેક પગલાં લીધા છે. નાણામંત્રીએ ખાતરી આપી હતી કે, સરકાર મધ્યમ વર્ગ માટે વધુ કરી શકે છે. કારણ કે તેની વસ્તી વધી રહી છે અને હવે આ વર્ગ ઘણો મોટો થઈ ગયો છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, હું તેમની સમસ્યાઓ સારી રીતે સમજું છું. સરકારે તેમના માટે ઘણું કર્યું છે અને કરતી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir