બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 08:43 AM, 25 October 2023
સનાતન ધર્મમાં દિવાળીનો પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સનાતન ધર્મને માનતા લોકો દિવાળી પહેલા તેની આતુરતાથી રાહ જોતા હોય છે. હિંદુ પંચાગ અનુસાર કાર્તક મહિનાની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ તહેવારને ઉજવવા માટે લોકો પહેલાથી જ તૈયારી શરૂ કરી દે છે. તેમકે નવા દિવા ખરીદવા ઘરની સાફ-સફાઈ કરવી, ઘરમાં રંગોળી કરવી, અલગ અલગ પ્રકારના પકવાન બનાવવા વગેરે.
ધાર્મિક માન્યતા છે કે આ દિવસે પ્રભુ રામ અયોધ્યા પરત ફર્યા હતા જેની ખુશીમાં અયોધ્યા વાસિઓએ દિવા કરીને પ્રભુ રામનું સ્વાગત કર્યું હતું. દિવાળીના દિવસે દિવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.
માતા લક્ષ્મીના સ્વાગત માટે લોકો દિવાળીના દિવસે ઘર પર દિવો કરે છે. અમાસ પર દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ કારણે દિવો કરીને અંધારાને દૂર કરવામાં આવે છે. અમાસ તિથિના દિવસે એક દિવો ઘીનો અને બાકી દિવા તેલના કરવાની પરંપરા છે.
તેલના દિવા કરવાના ફાયદા
ઘરમાં માટીના દિવામાં સરસવનું તેલ નાખીને દિવો કરવાથી શનિ અને મંગળ ગ્રહ મજબૂત થાય છે. તેના સાથે જ આ ગ્રહો દ્વારા આવી રહેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તેના સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને સુખ-શાંતિનો વાસ થાય છે.
ઘીના દિવા કરવાનો ફાયદો
દિવાળી પર ઘીનો દિવો કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગાયના ઘીનો દિવો કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. આ દિવસે ઘીનો દિવો કરવાથી વ્યક્તિના ઘરની પ્રગતિ થાય છે. ઘરમાં ધન-ધાન્યની કમી નથી થતી. આજ કારણ છે કે દિવાળીના દિવસે પૂજા વખતે સૌથી પહેલા માતા લક્ષ્મીને ઘીનો દિવો કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir