બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Dinesh
Last Updated: 10:35 PM, 10 January 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજીવાર સત્તા સંભાળ્યા પછી સતત નવા લોકોપયોગી નિર્ણયો લઈ રહ્યાં છે. ફરી એકવાર નાગરકોના હિતકારી નિર્ણય લીધો છે અને જેમાં દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકાય તેવો પ્રજાપ્રિય નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યલાય સાથે જોડવવા માટે એક વોટ્સએપ નંબર પણ બહાર પડવામાં આવ્યો છે.
CM કાર્યાલયથી જાહેર કરાયો વોટ્સએપ નંબર
મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાર્યાલય સાથે જોડાવવા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. જેના મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જે વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે.
‘CMO વોટ્સએપ બોટ’
વોટ્સએપ બોટના માધ્યમથી નાગરિકો પોતાના સ્માર્ટ ફોન વડે ‘સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ માટેનું માર્ગદર્શન મેળવી શકશે. એટલું જ નહિ, ‘વોટ્સએપ બોટ’ દ્વારા નાગરિકો મુખ્યમંત્રીની મુલાકાત માટેનો સમય માંગવાના સંપર્ક સુત્રની તેમજ મુખ્યમંત્રી રાહત નીધિનો લાભ મેળવવા માટેની માહિત મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ બોટ અંતર્ગત ‘‘રાઇટ ટુ-સી.એમ.ઓ’’ “Write to CMO” ફીચરનો ઉપયોગ કરીને નાગરિકો પોતાના સૂચન-રજુઆતો મુખ્યમંત્રીને સીધી જ મોકલી શકશે. વોટ્સ એપ બોટ દ્વારા નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય કે મુખ્યમંત્રીનો સંપર્ક કરી શકે તે માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
વોટ્સએપ બોટ ડીજિટલ પહેલ
આ VMS મોડ્યુલ મુલાકાતીઓના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે, વિભાગીય સ્તરે કે પછી ઉચ્ચ અધિકારી સ્તરે નિરાકરણ થઇ શકતું હોય તે મુજબનું વર્ગીકરણ કરી તેના સમાધાન માટે ઉપયોગી બનશે. આ મોડ્યુલ દ્વારા જન સામાન્યને તેમના પ્રશ્નોના નિરાકરણ માટેનું માર્ગદર્શન પણ મળશે અને મુખ્યમંત્રીશ્રી વધુને વધુ નાગરિકોનો સીધો સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવેલું ત્રીજુ મોડ્યુલ ‘CMO વોટ્સએપ બોટ’ વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવાની ડીજિટલ પહેલ છે.
વિહાર ગામના પંચાયતની સરપ્રાઈઝ વિઝિટે લીધી હતી
અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે લોકોની વચ્ચે જઈ મુલાકાત શરૂ કરી હતી. થોડા દિવસ અગાઉ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી જેમા તેમણે વિહાર ગામના પંચાયત ઘરની પણ મુલાકાત લીધી હતી અને લોકોના વિવિધ સમસ્યાઓ સાંભળી હતી. તમને જણાવી દઈએ કે, તેમણે ગાંધીનગરના માણસા પાસે બાપુપુરા ગામની પણ મુલાકાત લીધી હતી.
ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા હતા ખુદ મુખ્યમંત્રી
થોડા દિવસ અગાઉ માણસાના બાપુપુરા ગામે આંગણવાડી અને પંચાયતઘરની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા ખુદ મેદાને ઉતર્યા હોય તેવું સામે આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓને સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે અને હવે નાગરિકો સાથે સિધો જ સંપર્ક સાધવા માટે તેમના કાર્યલયનો વોટ્સએપ નંબર જાહેર કરાયો છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ