બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / What about the employment of TRB personnel after being released? Vandalism complaints responsible for harsh decision?
Vishal Khamar
Last Updated: 09:18 PM, 22 November 2023
રાજ્યના DGPનો એક પરિપત્ર અને રોષની લાગણી. વાત છે 9 હજારમાંથી 6 હજાર 400 TRB જવાનને ફરજમુક્ત કરી દેવાના પરિપત્રની. રાજ્યભરમાં TRB જવાનો આ પરિપત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કદાચ તેમની દલીલ પણ ખોટી નથી કે એક જગ્યાએ 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે હંગામી ધોરણે ફરજ બજાવતા હોય અને અચાનક જો તેને છૂટા કરી દેવામાં આવે તો તેની પાસે હવે પછી રોજગારીનો વિકલ્પ શું એ સવાલ ઉપસ્થિત થવાનો જ છે.
સામે પક્ષે સરકાર પણ કહી રહી છે કે એક જ જગ્યાએ TRB જવાન લાંબા સમયથી ફરજ પર રહે તે યોગ્ય નથી અને હવે ત્યાં નિયમ મુજબ ભરતી કરવાની થશે. પણ અહીં પ્રશ્ન એ થાય કે 10-10 વર્ષ જો હંગામી ધોરણે કોઈ પાસે નોકરી કરાવીએ અને હવે તેને છૂટા કરી દઈએ તે કેટલું યોગ્ય. સરકારનો આ નિર્ણય વહીવટી અનુકૂળતા માટે છે કે પછી બીજુ કોઈ કારણ છે?. તાજેતરમાં TRB જવાનો વિરુદ્ધ તોડબાજીની જે વ્યાપક ફરિયાદો થઈ તે ઘટના તો આવા કઠોર નિર્ણય પાછળ જવાબદાર નથીને.. જે લોકો પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવે છે તેનું શું. હાલ તો 31 માર્ચ 2024 પછી કુલ 6400 TRB જવાનોનું ભાવિ શું તેના પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.
રાજ્ય પોલીસ વડાએ TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર કર્યો હતો. લગભગ 6400 જેટલા TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રાફિક બ્રિગ્રેડનાં જવાનો હવે ટૂંકાગાળામાં જ ફરજ મુક્ત થશે. ફરજ મુક્ત થનાર TRB જવાનોમાં નારાજગી વ્યક્ત કરી હતી. છૂટા કરવા નિર્ણય સામે ઠેર-ઠેર વિરોધ કર્યો હતો.
DGPના પરિપત્રમાં શું છે?
રાજ્યનાં 9 હજારમાંથી 6400 TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી કામગીરી કરતા જવાનોને ક્રમશઃ છૂટા કરવામાં આવનાર છે. તેમજ ફરજ મુક્ત TRB જવાનને ફરી કામગીરીમાં ન લેવા. તેમજ TRB જવાન તરીકે એક સભ્ય લાંબા સમયથી કામ કરે તે યોગ્ય નથી. જવાનોને છૂટા કર્યા બાદ નિયમ મુજબ ભરતી કરવી.
જવાનોને ક્યાં સુધીમાં છૂટા કરશે?
10 વર્ષથી ફરજ બજાવતા TRB જવાન 30 નવેમ્બર સુધીમાં છૂટા કરાશે. 10 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 1100 TRB જવાન છે. 5 વર્ષથી કામ કરતા TRB જવાન 31 ડિસેમ્બર સુધીમાં છૂટા કરાશે. 5 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 3000 TRB જવાન હતા. 3 વર્ષથી કામ કરતા TRB જવાન 31 માર્ચ 2024 સુધીમાં છૂટા કરાશે. 2300 જવાનો 3 વર્ષથી કામ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir