બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Pravin
Last Updated: 06:53 PM, 31 January 2022
ટેસ્ટ ટીમની કપ્તાની છોડ્યા બાદ વિરાટ કોહલીએ પહેલી વાર મૌન તોડ્યું છે. એક સેશન દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે, લીડ થવા માટે તમારે કેપ્ટન હોવું જરૂર નથી. સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ 1-2થી હાર્યા બાદ વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ટીમનું કપ્તાન પદ છોડી દીધું હતું. તે પહેલા જ ટી 20, વન ડેની કેપ્ટન્સી ખોઈ ચુક્યો છે.
ટીમ ઈંડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે, આપ ક્લિયર હોવા જોઈએ કે, ટાર્ગેટ મેળવવા માટે આપનો વિચાર શું હતો. તે આપ કરી શક્યા કે નહીં. દરેક વસ્તુનો એક સમય હોય છે. આપે એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે. એક બેટ્સમેન તરીકે આપ ટીમને વધારે યોગદાન આપી શકો, ત્યારે આવા સમયે તેના પર ગર્વ કરવું જોઈએ.
વિરાટ કોહલીએ આપ્યું ધોનીનું ઉદાહરણ
એક ઈન્ટરવ્યૂ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યુ હતું કે, એક લીડર થવા માટે આપ કેપ્ટન હોવા જરૂરી નથી. જ્યારે એમએસ ધોની ટીમ હતા, ત્યારે એનો અર્થ એવો નહોતો કે, તેઓ લીડર નહોતા. કેપ્ટનસી છોડ્યા બાદ પણ તેઓ એવા જ વ્યક્તિ હતાં. જેમની પાસેથી અમારે ઈનપુટની જરૂર રહેતી. જીત અથવા હાર આપના હાથમાં નથી હોતી. દરેક દિવસને સારો બનાવવા માટે આપે ટ્રાઈ કરતી રહેવી પડે છે.
વિરાટ કોહલીએ કહ્યું કે, આગળ વધવું તે લીડરશીપનો એક ભાગ છે. તેના માટે યોગ્ય સમયની પસંદગી કરવી જરૂરી છે. હું લાંબા સમયથી એમએસ ધોનીની અંડરમાં રમ્યો, બાદમાં હું ખુદ કેપ્ટન બન્યો પણ મારી રીતે હંમેશા એક જેવી જ રહી છે. જ્યારે હું કેપ્ટન નહોતો, ત્યારે પણ હું આવી રીતે જ વિચારતો હતો.
ટેસ્ટની કેપ્ટન્સી છોડતા સૌ કોઈ હૈરાન થઈ ગયા હતા
વિરાટ કોહલીનો કેપ્ટન તરીકે રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે પોતાની કેપ્ટનસીમાં 40 મેચ જીતી છે. જે કોઈ પણ ભારતીય કેપ્ટન કરતા સૌથી વધારે છે. જ્યારે વિરાટ કોહલી પાસેથી ટી 20ની કેપ્ટનસી છીનવી લેવામાં આવી, ત્યારે કોઈને પણ વિશ્વાસ નહોતો બેસતો કે, ટેસ્ટની કેપ્ટનસી ચાલું રાખશે, કારણ કે, તેણે નવી ટીમ બનાવામાં મહેનત કરી છે, પણ સાઉથ આફ્રિકા સીરીઝ બાદ આવેલા નિર્ણયથી સૌ કોઈ હેરાન હતું.
પહેલી વાર રોહિતના અંડરમાં રમશે વિરાટ કોહલી
આપને જણાવી દઈએ કે, વિરાટ કોહલી હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી એક બેટ્સમેન તરીકે જ રમતો જોવા મળશે. વેસ્ટઈંડીઝ વિરુદ્ધ રમાનારી ટી 20 અને ટેસ્ટ સીરીઝ પહેલો એવો સમય હશે, જ્યારે વિરાટ કોહલી રોહિત શર્માના અંડરમાં રમશે. વિરાટ કોહલીએ સૌથી પહેલા ટી 20 ફોર્મેટમાં કેપ્ટનસી છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
ટી 20 વર્લ્ડ કપ બાદ સિલેક્ટર્સે તેને વન ડેની કેપ્ટનસીમાંથી હટાવી દીધો. સાઉથ આફ્રિકામાં મળેલી હાર બાદ વિરાટ કોહલીએ ખુદ ટેસ્ટ ટીમની કેપ્ટનસી છોડી દીધી હતી. રોહિત શર્મા હાલમાં ટીમ ઈન્ડિયાના ટી 20સ વન ડે કેપ્ટન છે. સિલેક્ટર્સ ટૂંક સમયમાં ટેસ્ટ કેપ્ટનની પણ જાહેર કરશે. રોહિત શર્મા અહીં પણ આગળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ