બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Veer Narmad South Gujarat University, Admission Date Extended, Affiliation of 9 Granted Colleges also approved
Kiran
Last Updated: 08:43 AM, 27 August 2021
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં વિવિધ કોર્સના એડમિશનમાં લેવા માટેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રેજ્યુએશન માટે કોર્સની મુદ્દ 28 ઓગસ્ટ સુધી રાખવામાં આવી હતી તે વધારીને 15 સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની કુલ 88 હજરા 451 બેઠકો માટે અત્યાર સુધીમાં 74 હજાર 300 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે ત્યારે બાકીની બેઠકો ભરાઈ જાય તે માટે કોલેજમાં પ્રવેશની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનો સુરતની ગ્રાન્ટેડ કોલેજોને લઇ નિર્ણય
આ તરફ સુરતની 9 ગ્રાન્ટેડ કોલેજોનું વીર નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ કરવાની મંજૂરી મળતા મુદ્દો વિવાદિત બન્યો છે મહત્વનું છે કે કોલેજોના વીર નર્મદ યુનિવર્સિટીના જોડાણ સાથે 3 ખાનગી યુનિવર્સિટીને પણ મંજૂરી આપવામાં આવી ત્યારે ખાનગી યુનિવર્સિટીના સંચાલકોએ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ જોડાણને થયાવત રાખવા રજૂઆત કરાતા હવે સરકારની મંજૂરી બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તેવું લાગી રહ્યું છે.
સુરતની 9 ગ્રાન્ટેડ કોલેજોનું વીર નર્મદ યુનિ સાથે જોડાણ રહેશે
જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહદંશે આદિવાસી વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગના તેમજ ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુરત સુધી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરવા માટે આવતા હોય છે. વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સારૂં શિક્ષણ મળે તે હેતુથી કોલેજ શરૂ કરવામાં આવે છે.
3 ખાનગી યુનિ.ની મંજૂરી બાદ મુદ્દો વિવાદિત બન્યો હતો
યુનિવર્સિટી દ્વારા સુરત શહેરની છ અને બારડોલીને ત્રણ જેટલી કોલેજનું જોડાણ રદ્દ કર્યું છે પરતું હવે આ કોલેજોનું જોડાણ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીએ 9 ગ્રાન્ટેડ કોલેજોના જોડાણની મંજૂરી આપી છે.જો કે વિદ્યાર્થીઓ-અધ્યાપકોની જોડાણ યથાવત રાખવાની રજૂઆતો કરવામાં આવતા રાજ્ય સરકારે સુરતી ગ્રાન્ટેડ કોલેજોને લઈ નિર્ણય કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army