બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / uttar pradesh yogi government took a big decision after attack on gorakhnath temple
Pravin
Last Updated: 02:15 PM, 4 April 2022
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથી સરકારે આઈપીએસ ઓફિસર નવીન અરોડાને યુપી એટીએસના પ્રમુખ બનાવ્યા છે. ગોરખનાથ મંદિરમાં વિશેષ સંપ્રદાયના યુવકો દ્વારા પોલીસકર્મીઓ પર હુમલા બાદ એટીએસ એક્ટિવ થઈ ગઈ છે. તો વળી હવે નવીન અરોડને મહત્વની મનાતી એટીએસની કમાન સોંપી દીધી છે. હકીકતમાં જોઈએ તો, એસટીએફના ચીફ અમિતાભ યશ પાસે જ એટીએસની જવાબદારી હતી. તેથી રાજ્ય સરકારે એટીએસ પ્રમુખ પદેથી તેમને કાર્યમુક્ત કરવાનો નિર્ણય કર્યો છે અને એટીએસની કમાન હવે નવીન અરોડાને સોંપી દેવામાં આવી છે. અરોડાને સીએમ યોગીના નજીકના ઓફિસર માનવામાં આવે છે. લખનઉમાં કમીશ્નરી સિસ્ટમ લાગૂ કરવાના સમયથી તેમને સંયુક્ત આયુક્ત પર નિમણૂંક કરવામાં આવ્યા હતા.
પોતાના કાર્યકાળમાં કેટલાય ઓપરેશનો પાર પાડ્યા
નવીન અરોડ રાજ્યમાં કેટલાય મહત્વના પદો પર રહી ચુક્યા છે. તો વળી ગત વર્ષે આગરામાં આઈજી રેંજના પદ પર હતા, પણ સફાઈ કર્મચારીના મોત મામલા બાદ રાજ્ય સરકારે તેમને હટાવી દીધા હતા અને આઈજી બજેટ બનાવીને તેમને પોસ્ટીંગ આપ્યું હતું. બાદમાં તેમનું પ્રમોશન થયું હતું. જો કે, આગરામાં અરોડાએ કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાનું કામ કર્યું હતું. પોતાના કાર્યકાળમાં ઓપરેશનો ચલાવ્યા હતા.
ગોરખનાથ મંદિરમાં પહેલાની તપાસ કરવામાં લાગી એટીએસ
રવિવાર સાંજે ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરમાં થયેલી વિશેષ સંપ્રદાયના યુવક દ્વારા પોલીસ હુમલા બાદ યુપી એટીએસે આ મામલે તપાસ કરી રહી છે. તો વળી પોલીસ પણ આ મામલે તપાસમાં લાગી ગઈ છે અને યુવકો સાથે પૂછપરછ કરી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, સીએમ યોગી આદિત્યનાથ મંદિરના પીઠાધીશ્વર છે અને એટીએસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. કારણ કે, છેલ્લા કેટલાય દિવસથી સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ