બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / underground-water-tank-will-be-useful-in-the-summer-in-junagadh

NULL / ઉનાળામાં ઉપયોગી થશે આ ભૂગર્ભ ટાંકા દુષ્કાળની પરિસ્થિતિમાં થશે મદદરૂપ

vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જૂનાગઢઃ પાણીની સમસ્યા ન થાય તે માટે અલગ-અલગ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. ત્યારે પાણીનો સંગ્રહ કરવા માટે ઘરના આંગણે ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવે છે. આ ટાંકાના કારણે દુષ્કાળની પરિસ્થિતિમાં પણ ચોખ્ખુ પાણી વાપરવામાં આવે છે. 

કેવી રીતે ભૂગર્ભ ટાંકાનો ઉપયોગ કરવામાં આવે છે?
ભલે ગમે તેવા દુષ્કાળ હોય પરંતુ જો આ ભૂગર્ભ ટાંકામાં પાણી સાચવી રાખવામાં આવે તો તેનો ઉપયોગ આખા વર્ષ સુધી કરી શકાય છે. આ પાણી કેટલાય સમય સુધી રાખવામાં આવે પરંતુ આ પાણી ક્યારેય પણ બગડતુ નથી. અને આ પાણીનો પીવા માટે પણ ક્યારેય પણ ઉપયોગ કરવામાં આવી શકે છે.

આ ભૂગર્ભ ટાંકાને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવે છે કે જેનાથી વરસાદનુ પાણી સીધુ ટાંકામાં જાય છે. આખા વર્ષ સુધી આ પાણીનો ઉપયોગ કરી શકાય છે. જૂનાગઢમાં આવા ઘણા ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા છે. આ ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વરસાદી પાણીનુ સંગ્રહ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો તે પાણી મિનરલ વોટર કરતા પણ શુદ્ધ અને મીઠુ હોય છે.

સામાન્ય રીતે વધુ સમય સુધી પાણી રાખવામાં આવે તો પાણી બગડી જતુ હોય છે. પરંતુ વરસાદ બાદ ધાબા સાફ કર્યા પછી તેની લાઈન આ ભૂગર્ભ ટાંકામાં આપવામાં આવે તો વરસાદના પાણીનો ઉપયોગ આખા વર્ષ સુધી કરી શકાય છે.

જૂનાગઢમાં આજે પણ ભૂગર્ભ ટાંકાથી કરાઇ છે પાણીનો સંગ્રહ
એક તરફ ઉનાળો પોતાનો મીજાજ બતાવી રહયો છે. ઘેર ઘેર પાણીની સમસ્યા પણ વધી છે. ત્યારે જૂનાગઢમાં આજે પણ એવા ઘર છે જેમાં ભૂગર્ભ ટાંકાથી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.

જૂનાગઢ શહેરના માંગનાથ વિસ્તારમાં નાગર જ્ઞાતિના અનેક ઘરો જોવા મળે છે. જેમાં નવાબી સમયથી ભૂગર્ભ ટાંકા બનાવામાં આવ્યા છે. આજે આ પાણીના ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમા બન્યા છે. આજથી 150 વર્ષ જુના ભૂગર્ભ પાણીના ટાંકા જોવા મળે છે. ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.  એક વર્ષ ચાલે તેટલું પાણીનો સંગ્રહ થાય છે. ત્યારે પોતાના પૂર્વજોની સારી દ્રષ્ટીના કારણે આજે આવનારી પેઢી માટે ભૂગર્ભ ટાંકા આશીર્વાદ સમાન બન્યા છે. ઘર નીચે 18 ફૂટની પોહળાઈના ટાંકાથી આજે ભર ઉનાળે શુદ્ધ પાણી પીવા મળે છે.

આજે જ્યારે જૂનાગઢના શહેરમાં પાણી સમસ્યા જોવા મળે છે ત્યારે માંગનાથ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણીના ભૂગર્ભ ટાંકાથી મહિલાઓને પણ રાહત જોવા મળે છે. ત્યારે મહિલાઓના મતે આ ભૂગર્ભ પાણીના ટાંકામાં પીવા લાઈક શુદ્ધ પાણી મળી રહે છે. રસોઈ ઘરમાં પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. પાણીને શુદ્ધ કરવા વરસાદના પાણીથી ટાંકા ભરાય જાય પછી તેમાં ગળી ચૂનો અને ફટકડી નાખવાથી પાણી એક દમ ચોખ્ખું રહે છે. ત્યારે પૂર્વજોના આશીર્વાદથી આજે પીવાનું શુદ્ધ પાણી ઘરમાં જ મળી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ