બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / VTV વિશેષ / Two cracks in Kshatriya society on Parshotam Rupala! What is the logic of sociology and politics
Dinesh
Last Updated: 10:35 PM, 31 March 2024
લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે અને વાતાવરણમાં ચૂંટણી અનુભવાઇ પણ રહી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવાઇ અને ત્યાર બાદ રાજકીય પક્ષોની તૈયારીઓ પણ જનતા જોઇ રહી છે. પણ જાણે કે 2024ની ચૂંટણીનો માહોલ તૈયારીઓ કરતા વિવાદોથી ભરપૂર વધારે લાગી રહ્યો છે. પરશોતમ રૂપાલાએ એક નિવેદન આપ્યું અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ. વિવાદ વકરતો ગયો, માફી માંગવામાં તો આવી પણ તેનો ક્યાંક સ્વીકાર તો ક્યાંક અસ્વીકાર થયો. ક્ષત્રિય સમાજ આ મુદ્દે નમતું જોખવા તૈયાર નથી અને ટિકીટ પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં મોટું સંમેલન યોજાયું જેમા રૂપાલાએ બે હાથ જોડીને માફી પણ માગી, પરંતુ કેટલાક ક્ષત્રિય સંગઠનો આ વાત સ્વીકારવા તૈયાર નથી અને એવુ કહે છે કે સમાજ વતીથી જયરાજસિંહ જાડેજા નિર્ણય લેનાર કોણ છે. આ સમગ્ર મુદ્દે અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘના વિચારો પણ આજે અમે જાણવાનો પ્રયત્ન કર્યો છે. અને વિરોધનો વંટોળ ક્યારે શાંત થશે અને આ વિવાદમાં સમાધાનની જોડતી કડી કોણ બનશે તે પણ જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો
ક્ષત્રિય સમાજનો વિરોધ
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પરશોતમ રૂપાલાની માફી છતા સમાજના ઘણાં આગેવાનો નારાજ છે. રાજકોટના રેલનગરમાં ક્ષત્રિય સમાજે રૂપાલા સામે વિરોધ કર્યો હતો. કેટલાક યુવાનોની પણ અટકાયત કરવામાં આવી તેમજ પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ઉપર ક્ષત્રિય સમાજ અડગ છે. સવાલ એ છે કે આ વિરોધ આખરે જીત કોને અપાવશે?
માફી બાદ પણ મુશ્કેલી યથાવત
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. કરણી સેના સહિતના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી નહતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે
વાંચવા જેવું: ગુજરાતનો ગોળ ગધેડાનો મેળો: વૃક્ષ ચઢતા યુવકોને યુવતીઓ મારે છે સોટીથી માર, કારણ રસપ્રદ
ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ શું કહ્યું?
રાજકોટથી પરશોતમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ. રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઈતિહાસ તપાસવો જોઈએ. પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચુક્યા છે. ક્ષત્રિય સમાજ હિંદુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે. નાયકા દેવીએ મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો એ ન ભૂલવું જોઈએ. PM કહી ચુક્યા છે કે અકબર સામે ક્ષત્રિયો ન લડ્યા હોત તો સૌરાષ્ટ્ર પાકિસ્તાનમાં હોત. રાજકારણમાં જડતા ક્યારેય ચાલતી નથી.અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટબેંક હાથમાંથી જતી રહેશે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP