બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Today Monday Adopt these 7 great remedies Lord Bholanath will shower you with abundant money

ધર્મ / આજે સોમવાર: અપનાવો આ 7 મહા ઉપાય, ભગવાન ભોળાનાથ કરશે પૈસાનો અઢળક વરસાદ

Pravin Joshi

Last Updated: 07:45 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોમવાર છે. આજનો દિવસ મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ છે, જો તમે ભોલોનાથના આશીર્વાદ મેળવવા માંગતા હોવ અને જીવનમાં ધન-સમૃદ્ધિની ઈચ્છા ધરાવતા હોવ તો સોમવારે આ ઉપાયો અવશ્ય કરો.

આજે સોમવાર છે. આજના દિવસે લોકો ભગવાન શિવની પૂજા કરે છે. આ દિવસ શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે બધા આપણા જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરીએ છીએ. મહાદેવનું શરણ લેવાથી તમામ પ્રકારના દુ:ખ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે હિંદુ ધર્મમાં ભોલેનાથ એક એવા દેવ છે જે તરત જ તેમના ભક્તોની પ્રાર્થના સ્વીકારે છે.

Topic | VTV Gujarati

સરળ ઉપાય કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય

જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે અને તેનું સમાધાન નથી થઈ શકતું તો સોમવાર તમારા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે તમે ભગવાન શિવનો આશ્રય લઈને અને તેમના માટે કેટલાક સરળ ઉપાય કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો. 

સોમવારના ઉપાય: મહાદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલની મદદથી આ રીતે કરો પૂજા | Monday  Remedies to get lord shiv blessings problem will go away

સોમવારે ચોક્કસ ઉપાય કરવા

જો તમે સોમવારે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો ઘરની બહાર નીકળતી વખતે અરીસામાં તમારો ચહેરો અવશ્ય જુઓ. તેમજ સફળતા માટે મનમાં ભગવાન શિવને પ્રાર્થના કરો. સોમવારે આમ કરવાથી તમારું મન સકારાત્મક રહેશે, તમારો ઈન્ટરવ્યુ સારો જશે અને તમારી મહેનતની અસર દેખાશે.

જો તમે તમારા વ્યવસાયના નફામાં સતત પૈસાની અછતનો સામનો કરી રહ્યા છો અથવા તમને તમારા વ્યવસાયમાં નફો નથી મળી રહ્યો, જેના કારણે તમે કંઈપણ નવું કરવાનું વિચારી શકતા નથી અને તમારું મનોબળ ઘટી રહ્યું છે. તો આ માટે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા બે સફેદ ફૂલ તમારી સાથે રાખો અને જ્યારે કામ પૂર્ણ થઈ જાય ત્યારે તેને વહેતા પાણીમાં તરતા મુકો. સોમવારે આવું કરવાથી તમારા વ્યવસાયમાં નફો થવા લાગશે.

Topic | VTV Gujarati

જો તમે તમારા આશીર્વાદ અને ભૌતિક સુખમાં વધારો કરવા માંગો છો, તો સોમવારે સ્નાન પછી તમારા ઘરની નજીકના કોઈપણ શિવ મંદિરમાં જાઓ, પાણીમાં થોડું ગંગા જળ નાખીને શિવલિંગને અર્પણ કરો. તેમજ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો. સોમવારે આ કરવાથી તમારા આશીર્વાદ અને ભૌતિક સુખમાં વધારો થશે.

જો તમે તમારા કોઈ શત્રુથી પરેશાન છો તો તેનાથી રાહત મેળવવા માટે સોમવારે સ્નાન વગેરે કરીને ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો. સાથે જ ભગવાન શિવના આ મંત્રનો 11 વાર જાપ કરો. મંત્ર આ મુજબ છે - ઓમ શમ શમ શિવાય શમ શમ કુરુ કુરુ ઓમ. સોમવારે આ કરવાથી તમે જલ્દી જ તમારા શત્રુઓથી છુટકારો મેળવશો.

દરરોજ પૂજા પાઠ કર્યા પછી પણ તમને નથી મળી રહ્યું સારું પરિણામ ? કોઈ ભૂલ તો  નથી કરી રહ્યા ને ? તેની પાછળ હોય શકે છે આ કારણ.../ Pooja Path Tips: If

જો તમે તમારી આવક વધારવા માંગો છો તો સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવો. જો શક્ય હોય તો ગાયનું દૂધ ચઢાવો. તેમજ 11 વાર શિવ મંત્રનો જાપ કરો. મંત્ર છે- ઓમ નમઃ શિવાય. આ રીતે જાપ પૂર્ણ કર્યા પછી તમારી આવકમાં વૃદ્ધિ માટે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરો. સોમવારે આવું કરવાથી તમારી આવકમાં વધારો થશે.

જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો તમારા દરેક કામમાં તમારી મદદ કરે અને તેમની સાથે તમારો સંબંધ સારો રહે તો સોમવારે ભગવાન શિવને નારિયેળ ચઢાવો. ભગવાનને ડ્રાયફ્રૂટ્સ પણ અર્પણ કરો. સોમવારે આવું કરવાથી તમારા બાળકો તમારા દરેક કામમાં તમારી મદદ કરશે અને તેમની સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે.

ચાંદા, કબજિયાત અને હાર્ટ જેવી 10થી વધુ સમસ્યામાં લાભદાયી છે બિલિપત્ર | know  the health benefits of Bilva patra

વધુ વાંચો : દિવસમાં બે વાર ગાયબ થઇ જાય છે ગુજરાતનું આ પ્રાચીન મંદિર! જાણો શું છે તેની પાછળનું રહસ્ય

જો ઘરના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થાય છે, જેના કારણે તમારું મન અશાંત રહે છે, તો સોમવારે તમારા ઘરની નજીકના મંદિરમાં ભગવાન શિવને બેલ પત્ર ચઢાવો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાની વાટકી પણ દાન કરો. સોમવારે આવું કરવાથી તમારું મન શાંત રહેશે અને પારિવારિક વાતાવરણમાં સકારાત્મકતા આવવા લાગશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ