બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kiran
Last Updated: 02:02 PM, 14 September 2021
અમદાવાદના ઘાટલોડિયામાં 3 વ્યક્તિઓના મોત, ગેસ લીકેજને કારણે ગૂંગળામણથી મૃત્યુ થવાની આશંકા
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આજે 3 વ્યક્તિઓના મૃતદેહ મળવાથી શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં ગેસ લીકેજથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાની આશંકા છે.
પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર વાઘેલાનું નિવેદન
આજે સવારે અમદાવાદમાં ત્રણ વ્યક્તિઓના મોતના માઠા સમાચાર આવ્યાં હતાં. ઘાટલોડિયા વિસ્તારમાં ગોપાલનગરની એક ફેક્ટરીમાં આ ઘટના બની હતી જેમાં પ્રાથમિક ધોરણે ગેસ લીકેજના કારણે ગૂંગળામણથી મોત થવાનું સામે આવી રહ્યું છે.
15 વર્ષીય હસનનું પણ ઘટનામાં મૃત્યુ થયુ: પોલીસ
આ ઘટનામાં 21 વર્ષીય અસલમ, 45 વર્ષીય ઈબ્રાહિમ અને 15 વર્ષીય હસન નામના ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યાં છે. મળતી માહિતી અનુસાર ઘાટલોડિયાના ગોપાલનગર વિસ્તારમાં પફ બનાવતી ફેક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. રાજશ્રીબેન અંકુર પટેલ દ્વારા આ પફની ફેક્ટરી શરૂ કરાઈ હતી. 15 દિવસ પહેલા જ UK's ફૂડના નામે ફર્મ શરૂ કરી હતી.
અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે: પોલીસ
ઘાટલોડિયાના PI વાય. આર વાઘેલાએ આ અકસ્માત વિશે જણાવતા કહ્યું હતું કે ઘટનામાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે અને હાલ તો ગૂંગળામણથી મોત થયા હોવાનું પ્રાથમિક અંદાજ પ્રમાણે માલૂમ પડી રહ્યું છે. પોલીસે કહ્યું હતું કે આ દુર્ઘટના ઘટી તે જગ્યા ભાડે લેવામાં આવેલી હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોત થયા હોવાનો ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir