બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / આરોગ્ય / These 7 illnesses also have symptoms similar to depression, this is how you know if you are sick or depressed
Megha
Last Updated: 06:02 PM, 25 September 2022
આજના યુગમાં ડિપ્રેશન અને સ્ટ્રેસ બંને ગંભીર સમસ્યા બની ગઈ છે. ડિપ્રેશનની સૌથી વધુ અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. અન્ય રોગો થાય ત્યારે તરત જ ખબર પડી જાય છે પણ ડિપ્રેશનમાં ગયેલ લોકોને ખબર નથી હોતી કે તેઓ ડિપ્રેશનમાં છે. જ્યારે વ્યક્તિને વધુ તણાવ કે ટેન્શન થવા લાગે એ પછી ધીરે ધીરે તે ડિપ્રેશનનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે. એટલું જ નહીં ડિપ્રેશનને કારણે એ વ્યક્તિને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવવા લાગે છે. ડિપ્રેશનના કારણે લોકો ધીમે ધીમે દુનિયા અને લોકોથી દૂર થઈ જાય છે અને તેઓ એવી દુનિયામાં જાય છે જ્યાંથી તેઓ પાછા નથી આવવા માંગતા. અને અંતે એકલું રહ્યા પછી તેઓને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગે છે.
એક માહિતી મુજબ વિશ્વભરમાં લગભગ 280 મિલિયન લોકો ડિપ્રેશનનો શિકાર છે. તેને ઓળખવાના ઘણા લક્ષણો છે જેમકે પૂરતી ઊંઘ ન મળે, ખુદ વિશે નિરાશા અનુભવી, ઊર્જાનો અભાવ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી. જોકે આ બધા ડિપ્રેશનના સામાન્ય લક્ષણો છે પણ મહત્વની વા એ છે કે આવા લક્ષણો હોય તો જ તમે ડિપ્રેશનનો શિકાર હોવ એવું જરૂરી નથી. ચાલો જાણીએ કે એવા કયા લક્ષણો છે જે ડિપ્રેશનના નહીં પણ બીજી કોઈ બીમારીના લક્ષણો હોય છે પણ ડિપ્રેશનના લક્ષણો લાગે છે.
માયાલજિક એન્સેફાલોમીલાઇટિસ
માયાલજિક એન્સેફાલોમીલાઇટિસ/ક્રોનિક થાક સિન્ડ્રોમ અને ડિપ્રેશન આ બંનેમાં વ્યક્તિ થાક અનુભવે છે અને તેની સાથે જ કોઈપણ કામમાં ફોકસ કરવામાં પણ તકલીફ અનુભવે છે. આના મુખ્યત્વે ચાર સામાન્ય લક્ષણો છે જેમાં ચક્કર, સ્નાયુ અને સાંધામાં દુખાવો, માથાનો દુખાવોનો સમાવેશ થાય છે.
ફાઈબ્રોમીઆલ્ગીઆ
ફાઈબ્રોમીઆલ્ગીઆને લોકો ઘણીવાર ડિપ્રેશન માની બેસે છે. આ મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડરમાં મગજ અને કરોડરજ્જુમાં દુખાવો થાય છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ આના માટે સંવેદનશીલ હોય છે. ફાઈબ્રોમીઆલ્ગીઆ અને ડિપ્રેશન બંનેમાં લોકો અનિદ્રા, યાદશક્તિ અને ફોકસ કરવામાં તકલીફ, થાક અને ઊંઘમાં તકલીફ જેવી સમસ્યાઓ અનુભવે છે.
હાઇપોથાઇરોડિઝમ
આના ઘણા લક્ષણો ડિપ્રેશન જેવા જ હોય છે. આ બીમારીમાં થાઇરોઇડ પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન કરતી નથી એટલે લોકો તેમાં થાક, વજન વધવું યાદશક્તિ અને ફોકસ કરવામાં તકલીફ અનુભવે છે અને ડિપ્રેશન જેવું અનુભવે છે. જો કે ડિપ્રેશન પોતે હાઇપોથાઇરોડિઝમનું એક લક્ષણ હોઈ શકે છે.
ADHD
ADHD એ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે જે આપણા શરીરના ઉર્જા સ્તરો સાથે સંબંધિત છે. તેનાથી પીડિત લોકોને એકાગ્રતાની સમસ્યા સૌથી વધુ હોય છે.
Ehlers-Danlos સિન્ડ્રોમ (EDS)
Ehlers-Danlos સિન્ડ્રોમમાં થાક, માથાનો દુખાવો અને ઊંઘમાં ખલેલ અનુભવાય છે. જે ડિપ્રેશન જેવું લાગી શકે છે.
વિટામિન ડીની ઉણપ
વિટામિન ડીની ઉણપથી ઘણી વખત આપણને એવી સમસ્યાઓ થવા લાગે છે જે ડિપ્રેશન જેવી લાગે છે. થાક લાગવો, મૂડ બદલાતો રહેવો આવા લક્ષણો ડિપ્રેશનના પણ હોય છે. સાથે જ વિટામિન ડીની ઉણપથી પણ આવી સમસ્યા ઉદ્ભવી શકે છે.
એનિમિયા
ઘણી વખત લોકો એનિમિયાના લક્ષણને લોકો ડિપ્રેશન માની બેસે છે. એનિમિયાથી પીડિત લોકોના શરીરમાં પૂરતા પ્રમાણમાં સ્વસ્થ રક્તકણો નથી હોતા જેના કારણે શરીરમાં ઓક્સિજનની માત્રા યોગ્ય રીતે પૂરી નથી પડતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ