બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / VTV વિશેષ / There is an air of qualification in politics, why casteism prevailed! What is the ticket award criteria

મહામંથન / રાજકારણમાં લાયકાતની હવા નીકળી, જ્ઞાતિવાદ કેમ હાવી! ટિકિટ આપવાના માપદંડ શું?

Dinesh

Last Updated: 10:37 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજકીય પક્ષો જ્ઞાતિ-જાતિના આધારે જ ઉમેદવાર ઉભા રાખે છે તેમાં અન્ય લાયકાતો તો ક્યાંક ક્યાંક  નજર અંદાજ થતી રહે છે. આમાં લાયકાત વાળા  કાર્યકર્તાઓને ક્યાંક અન્યાય થતો હોય છે

ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. લોકશાહીની એ સુંદરતા છે કે જેમાં આપણને અધિકાર છે આપણા જનપ્રતિનિધી ચૂંટવાનો. રાજકીય પક્ષો આપણી સામે જે ચહેરા મુકે તેમાંથી આપણે તેમને પસંદ કરીએ છીએ. એટલે આમ જોવા જઇએ તો એક રીતે એમ કહી શકાય કે લોકશાહીમાં આપણને જનપ્રતિનીધી પસંદ કરવાનો અવકાશ છે પણ સિક્કાની બીજી બાજુ એ છે કે રાજકીય પક્ષ જે ચહેરા મેદાને ઉતારે તેમાંથી જ આપણે પસંદગી કરવી પડે છે. હવે બદલાયેલા સમયમાં રાજકીય પક્ષો ઉમેદવાર તેની લાયકાતથી પસંદ કરે છે કે પછી જીતની શક્યતાઓ જોઇને તે સૌથી મોટો પ્રશ્ન બને છે. ભરત કાનાબારે આજે એક ટ્વીટ કર્યું અને તેમાં તેમણે આવો જ કોઇ સવાલ ઉપસ્થિત કર્યો છે. રાજકીય પક્ષો જ્ઞાતિ-જાતિના આધારે જ ઉમેદવાર ઉભા રાખે છે તેમાં અન્ય લાયકાતો તો ક્યાંક ક્યાંક  નજર અંદાજ થતી રહે છે. આમાં લાયકાત વાળા  કાર્યક્તાઓને ક્યાંક અન્યાય થતો હોય છે અને જનતા માટે પણ આ મુદ્દાને કારણે જનપ્રતિનીધીની પસંદગીમાં અવકાશ ઘટી જતા હોય છે

ભાજપના નેતા ડૉ.ભરત કાનાબારનું ટ્વીટ ચર્ચામાં આવ્યું
ટ્વીટનો કેન્દ્રવર્તી વિચાર ચર્ચા જગાવે એવો હતો. રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીના માપદંડમાં ફેરવિચારણા કરવી કે કેમ? ઉમેદવારોની પસંદગી લાયકાત કરતા જ્ઞાતિ સમીકરણના આધારે વધુ થાય છે. મુશ્કેલી એ થાય કે બૌદ્ધિક ક્ષમતા ધરાવતા નેતા જ્ઞાતિ સમીકરણમાં બંધબેસતા નથી. જે બેઠક ઉપર જે જ્ઞાતિનો પ્રભાવ વધુ તે જ્ઞાતિના ઉમેદવારની પસંદગીને પ્રાધાન્ય આપે છે. સવાલ એ છે કે પસંદગી વખતે જ્ઞાતિ સમીકરણો જ વધુ ધ્યાને શા માટે લેવાય? તંદુરસ્ત લોકશાહી માટે ઉમેદવારોની બૌદ્ધિક ક્ષમતા અને લાયકાત ધ્યાને કેમ ન લેવાય?

ભરત કાનાબારના ટ્વીટનો ભાવાર્થ શું?
ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિવાદ હાવી છે. જ્ઞાતિવાદને કારણે યોગ્ય ઉમેદવારને તક મળતી નથી. લાયક ઉમેદવાર માટે કોઈ બેઠક ફાળવાય એવું બનતું નથી. પ્રમાણિકતા, રાષ્ટ્રવાદ, પક્ષ પ્રત્યેની નિષ્ઠા જેવી વાતનું કોઈ મૂલ્ય નથી. કોઈપણ બેઠક ઉપર કઈ જ્ઞાતિના મત વધુ એ જ જોવામાં આવે છે. ઉમેદવારનો જ્ઞાતિગત પ્રભાવ વધુ છે કે કેમ તે જ માપદંડ

જ્ઞાતિ સમીકરણ હાવી કેમ?
ચૂંટણી આવે એટલે વિવિધ જ્ઞાતિઓ દબાણનું રાજકારણ રમે છે. પોતાની જ્ઞાતિના ઉમેદવારો મુકાય તેવી માગ કરવામાં આવે છે. જે જ્ઞાતિના મત વધુ તેનું વજન પડે છે. રાજકીય પક્ષો પણ ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિગત સમીકરણ ધ્યાને લે છે. આવા સમયે બૌદ્ધિક ઉમેદવારો માટે સીધી ચૂંટણીનો વિકલ્પ ઓછો બચે છે. બૌદ્ધિક ઉમેદવારો માટે પક્ષ મોટેભાગે રાજ્યસભાના દરવાજા ખોલે છે

વાંચવા જેવું:  ગુજરાતનો ગોળ ગધેડાનો મેળો: વૃક્ષ ચઢતા યુવકોને યુવતીઓ મારે છે સોટીથી માર, કારણ રસપ્રદ

સુરેન્દ્રનગર અને ભાવનગરમાં શું થયું?
સુરેન્દ્રનગરમાં ભાજપે ચુંવાળિયા કોળી જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે. લીંબડીમાં તળપદા કોળી સમાજના આગેવાનોનું સંમેલન યોજાયું અને તળપદા કોળી સમાજે અપક્ષ ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી બતાવી છે. ભાવનગરમાં ચુંવાળિયા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. ચુંવાળિયા કોળી સમાજનો શિક્ષિત ઉમેદવાર ઉભો રાખવા માગ કરવામાં આવી છે. ભાજપે ભાવનગરમાં તળપદા કોળી નિમુબેન બામણિયાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરમાં ભાજપે ચુંવાળિયા કોળી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. સ્થિતિ એવી બની છે કે ચુંવાળિયા અને તળપદા કોળી સામસામે આવી ગયા છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ