બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya gochar 2023 in 14th may these 3 zodiac sign people luck will shine sun transit

Surya Gochar 2023 / ઠીક 10 દિવસ બાદ આ રાશિના જાતકોના જીવનમાં આવશે મોટો બદલાવ, સૂર્ય કરવાના છે પ્રવેશ, જુઓ થશે અસર

Bijal Vyas

Last Updated: 04:06 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Gochar 2023: સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણને સંક્રાંતિ કહેવાય છે. જાણો મે મહિનામાં સૂર્યના વૃષભ રાશિમાં પ્રવેશથી કઇ રાશિને ફાયદો થશે.

  • સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચરને સંક્રાંતિ કહેવાય
  • 14 મેના રોજ સૂર્ય મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે
  • કન્યા રાશિના લોકો માટે આ સંક્રમણ ખાસ રહેશે

Surya Gochar 2023: સનાતન ધર્મમાં દરેક તિથિનું પોતાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચરને સંક્રાંતિ કહેવાય છે. હિંદુ ધર્મમાં સંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મે મહિનો શરૂ થઈ ગયો છે. 14 મેના રોજ સૂર્ય મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, સૂર્યના સંક્રમણથી ઘણી રાશિઓના લોકોને વિશેષ લાભ થવાનો છે. આવો જાણીએ આ 3 રાશિના લોકો વિશે, જેમની કિસ્મત સંપૂર્ણ રીતે ફેરવાઈ જવાની છે.

આ રાશિના જાતકોએ રહેવું સાવધાન, સૂર્ય કરશે મેષ રાશિમાં ગોચર, જાણો ક્યારથી/ Surya  Gochar in aries these rashi have to be careful

સૂર્ય ગોચરથી થવા આ રાશિના જાતકોને મળશે લાભ 
1. મેષ રાશિઃ
14 મેના રોજ સૂર્યના ગોચરના કારણે મેષ રાશિના લોકોને વિશેષ લાભ મળવાના છે. મા લક્ષ્મી ખાસ કરીને આ લોકો પર તેમના આશીર્વાદ વરસાવશે. એટલું જ નહીં, વ્યક્તિની આવકમાં નોંધપાત્ર વધારો થશે. અટકેલા પૈસા પાછા આવશે. બીજી બાજુ, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ રહેશે. નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે. વેપારમાં પ્રગતિની સંભાવના છે.

2. સિંહ રાશિઃ  મેષ રાશિની સાથે સાથે સિંહ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સાબિત થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના સ્વામી સૂર્ય દેવ છે. તેથી આ રાશિના જાતકો માટે પણ વૃષભ રાશિમાં સૂર્યનું સંક્રમણ શુભ રહેશે. એટલું જ નહીં, આ લોકોને નવી નોકરી માટે ઑફર મળી શકે છે. તમારું સન્માન વધશે. વેપારની દૃષ્ટિએ પણ આ સમય અનુકૂળ હોવાનું કહેવાય છે. નાણાંકીય લાભની પ્રબળ સંભાવનાઓ બની રહી છે.

આ ચાર રાશિના જાતકો સાચવજો, જીવનમાં મચી શકે છે 'હાહાકાર'! મીન રાશિમાં પ્રવેશ  કરશે સૂર્ય surya gochar 2023 sun transit on 14th april these zodiac get  negative effects

3. કન્યા રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કન્યા રાશિના લોકો માટે આ સંક્રમણ ખાસ રહેશે. ઉલ્લેખનીય છે કે, સૂર્ય આ રાશિની કુંડળીના નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેને ભાગ્યની નિશાની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના ભાગ્યના તાળાઓ ખુલવાના છે. આ સમયે કન્યા રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પરિવારમાં માત્ર ખુશી જ રહેશે. ધાર્મિક યાત્રા પર જવાની પણ શક્યતાઓ બની રહી છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ