બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / અન્ય જિલ્લા / Surat Jalebi Hanumanji Dada in Mangrol Devotees come from far and wide to have darshan of
Dinesh
Last Updated: 07:29 AM, 29 March 2024
સુરતના માંગરોળ ગામની સીમમાં આવેલા સુપ્રસિધ્ધ જલેબી હનુમાનદાદાના મંદિરે શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. દૂરદૂરથી ભાવિકો હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે આવે છે. ઘણા ભાવિકો પદયાત્રા કરીને દાદાના દર્શન કરવા માટે આવે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગે છે અને તે પૂરી થવાની ભક્તોમાં અતૂટ માન્યતા છે. દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવે છે એટલે તે જલેબી હનુમાનદાદાના નામથી ઓળખાય છે.
સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી દર્શનાર્થી ટોળા ઉમટી પડે છે. જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી આવે છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે મંદિરે ભક્તોની ભીડ જામે છે. માંગરોળમાં રહેતા હિરેનભાઈ કાંતિભાઈ પાઠકના પૂર્વજોના સ્વપ્નમાં હનુમાનજીએ પોતે અહીં વસવાટ કરતા હોવાનુ કહ્યુ હતુ અને તેમના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી સાથે રત્નેશ્વર મહાદેવનાં 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા. અને ગ્રામજનો દ્વારા મૂર્તિઓને માંગરોળ ગામની સીમમાં સ્થાપિત કરવામાં આવી હતી.
ઈતિહાસ છે અનોખો
1990 માં આ જગ્યા પર ખેતરમાં હિરેનભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જેમીનભાઈ પટેલ દ્વારા ભૂખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં સેધા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દીવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી. મંદિરની છત 2-3 વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાઈ ન હતી જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને શનિ શિંગણાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે. એટલે હનુમાન દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા.
જલેબી હનુમાનદાદાના નામથી મંદિર ખુબ પ્રચલિત
ખેતરમાં લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે જ હનુમાનદાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. હાલ લીમડાના વૃક્ષની નીચે દાદા બિરાજમાન થયેલા છે તેમનું ઘણા વર્ષો પહેલા લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યુ હતું. હનુમાનદાદાની બાજુમાં જ રત્નેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. જે હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે છે. સામાન્ય રીતે બીલીપત્રનું ઝાડ કાંટા વાળુ હોય છે પણ અહીંનુ બીલીપત્રનું ઝાડ કાંટા વગરનું છે જે હનુમાન દાદાની મૂર્તિને છાંયડો આપે છે. વર્ષોથી મંદિરે આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો. એટલે સમય જતા દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબી હનુમાનજીદાદા નામ પડી ગયુ અને હાલ જલેબી હનુમાનદાદાના નામથી મંદિર ખુબ પ્રચલિત થયું છે.
ભક્તો જલેબીનો પ્રસાદ ધરાવે છે
દૂરદૂરથી ભાવિકભક્તો મંદિરે આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભક્તો શ્રદ્ધાપૂર્વક ત્રણ પાંચ કે અગિયાર શનિવારની માનતા રાખે છે અને માનતા પૂર્ણ થવાની ભાવિકોમાં અતૂટ માન્યતા છે. રાજ્ય અને રાજ્ય બહારથી પણ ભક્તો હનુમાનજીના દર્શન કરવા મંદિરે આવે છે. જલેબી હનુમાનદાદા પર ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે ઘણા ભાવિક વિદેશ જવાના વિઝા માટે પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા આવે છે અને પાસપોર્ટ દાદાને ટચ કરી વિઝાની માટે એપ્લાય કરતા વિઝા મળી જવાની પણ અતૂટ માન્યતા છે. જેમને સંતાન પ્રાપ્તિનુ સુખ ના હોય તેવા ઘણા દંપતિ પણ દાદાની માનતા રાખતા હોય છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે. લોકોને જલેબી હનુમાનદાદા પર ખૂબ જ શ્રદ્ધા છે
દર્શનાર્થીઓની ભીડ જામે છે
દર શનિવારે 15 હજાર જેટલા દર્શનાર્થીઓ જલેબી હનુમાનદાદાના શરણે આવી તેમની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે મંદિરના આયોજકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે અને 3 થી 4 હજાર ભક્તો ભંડારામાં પ્રસાદીનો લાભ મેળવે છે. દાદાનુ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જલેબી હનુમાન દાદાનું મંદિર ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામ વાંધરી માંગરોળ નામથી ઓળખાતું હતું જે ખૂબ પ્રખ્યાત હતું. બાદમાં તે મોટા મિયા માંગરોળ તરીકે ઓળખાતુ અને હાલ જલેબી હનુમાન તરીકે ગામ ઓળખાવા લાગ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army