બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / SUPREME COURT CONCERN ON FARMERS PROTEST ON MODI GOVT NEW FARM LAW
Parth
Last Updated: 04:48 PM, 6 January 2021
કોર્ટે વ્યક્ત કરી ચિંતા
ત્રણ કૃષિ કાયદાઓની સામે ચાલી રહેલા આંદોલનમાં વારંવાર વાતચીત છતાં કોઇ પરિણામ આવી શક્યું નથી ત્યારે આ મામલે કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. જોકે કોર્ટમાં સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતા અને અટોર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે ખૂબ જલ્દી ગતિરોધ સમાપ્ત થઈ શકે છે. કૃષિ કાયદાથી જોડાયેલી અરજી પર સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે ખેડૂત આંદોલન પર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહી ઉકે અમે પરિસ્થિતિને સમજીએ છે અને અમે ઈચ્છીએ છીએ કે સરકાર વાતચીતથી સમાધાન લાવે.
આજે ફરી કરાઇ હતી એક અરજી
નોંધનીય છે કે જ્યાં એક તરફ ખેડૂતોને લગતી વિવિધ અરજીઓ પર પહેલા જ સુનાવણી ચાલી રહી છે ત્યારે આ ત્રણેય કાયદાને રદ્દ કરવાની માંગ સાથે વધુ એક અરજી આજે કરવામાં આવી હતી જેના પર અદાલતે અરજીકર્તાને પૂછ્યું કે શું તમને ખબર છે કે કોર્ટમાં ખેડૂતોના આંદોલનને લઈને શું ચાલી રહયું છે ? તો અરજી કરનાર એમએલ શર્માએ જવાબ આપ્યો કે તેમણે સંશોધિત અરજી દાખલ કરી છે. જે બાદ અદાલતે SG તુષાર મેહતાને સવાલ કર્યો કે ખેડૂતોના પ્રદર્શનને લઈને સુનાવણી ક્યારે થશે ? તુષાર મેહતાએ જવાબ આપ્યો કે હજુ સુધી તારીખ નક્કી થઈ શકી નથી. સાથે જ તુષાર મેહતાએ કહ્યું કે બીજા મામલાની સાથે જ આ મામલાને ન લેશો.
હવે સોમવારે ફરી થશે સુનાવણી
તુષાર મેહતાની દખાસ્ત બાદ અદાલતે કહ્યું કે અમે બીજા મામલાઓની સાથે જ આ કેસને લઈશું કારણ કે હજુ સુધી આંદોલનને લઈને કોઇ જ સમાધાન સામે આવ્યું નથી. હવે બધી જ અરજીઓ પર એક સાથે 11મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. અદાલતે કહ્યું કે અમે બધા કેસ પર એક સાથે સોમવાર સુનાવણી કરીશું. કોર્ટની પણ ઈચ્છા છે કે વાતચીત જ સમાધાન નીકળે. અદાલતે એમ પણ કહ્યું કે ખેડૂતોના વિરોધ મામલે કોઇ જ સુધારો જોવા મળ્યો નથી. જે બાદ AG કે કે વેણુગોપાલે કહ્યું કે ટૂંક સમયમાં કોઇ નક્કર પરિણામ સામે તેવી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ