બ્રેકિંગ ન્યુઝ
Vidhata
Last Updated: 02:59 PM, 13 April 2024
સૂર્ય દેવને દરેક ગ્રહોના દેવ માનવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિના લોકો પર પડે છે. પંચાગ મુજબ સૂર્ય આજે એટલે કે 13 એપ્રિલના રોજ રાત્રે 9:15 વાગે મેષ રાશિમાં ગોચર કરશે, જે 14 મેના રોજ સાંજે 6:04 વાગ્યા સુધી મેષ રાશિમાં જ રહેશે. પરંતુ આ ગોચરના કારણે 5 રાશિના જાતકો પર અશુભ અસર પડશે. ચાલો જાણીએ એ કઈ પાંચ રાશિ છે અને સૂર્યના રાશિ પરિવર્તનની તેના પર કેવી અસર થશે -
ADVERTISEMENT
મેષ રાશિ - સૂર્યના ગોચરથી મેષ રાશિના જાતકો પર નકારાત્મક અસર થશે, આર્થિક બાબતોમાં નુકસાન થશે. વિવાદના મામલા વધી શકે છે. આ દરમિયાન વાણી વર્તન પર સયંમ રાખવો. જો તમારા કોઈ કોર્ટ કેસ ચાલે છે તો તેમાં સમાધાન પણ કરવું પડી શકે છે.
ADVERTISEMENT
સિંહ રાશિ - સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકોને કડવા અનુભવ થઈ શકે છે. આ દરમિયાન જે લોકો નોકરી કરે છે તેમને કાર્યસ્થળ પર વિરોધ કે કાવતરાનો સામનો કરવો પડી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માન સન્માનને ઠેંસ પહોંચે તેવું કામ ન કરવું.
કન્યા રાશિ - સૂર્યના મેષ રાશિમાં ગોચરથી કન્યા રાશિના જાતકોના પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારમાં વિવાદ વધી શકે છે. આ દરમિયાન યોગ કે ધ્યાન કરવા, માનસિક અશાંતિ આવી શકે છે. લગ્ન કરવા ઇચ્છતા લોકોને રાહ જોવી પડી શકે છે.
ધન રાશિ - સૂર્યના ગોચરથી ધન રાશિના જાતકો પર ખરાબ અસર થઈ શકે છે. જો તમે આ દરમિયાન યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમારે સાવધાન રહેવું, તમારી સાથે અણબનાવ બની શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. પરિવારમાં તણાવ વધી શકે છે.
વધુ વાંચો: જો તમારી રાશિમાં શનિની સાડાસાતી ચાલે છે તો ભૂલથી પણ ન કરતા આ કામ, શનિદેવ થશે કોપાયમાન
કુંભ રાશિ - મેષ રાશિમાં સૂર્યના ગોચરથી કુંભ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે, આંખો પ્રભાવિત થઈ શકે છે. આ દરમિયાન બીમાર પડવા પર ડૉક્ટરની સલાહ વગર દવા ન લેવી. કાર્યસ્થળે તમારા વિરોધીઓથી તમને નુકસાન થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.