બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / stopped Charotar's canals decision taken amount water Vanakbori dam decreasing
Ajit Jadeja
Last Updated: 02:59 PM, 28 March 2024
ચરોતરની કેનાલોમાં 30 માર્ચથી પાણી ન છોડવા નિર્ણય તંત્રએ લીધો છે. જેમાં વણાંકબોરી ડેમ માં પાણીનો જથ્થો ઘટતા આખરે ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જથ્થો અનામત રાખવા આ નિર્ણય લેવાયો છે. જોકે પાણી બંધ કરાતા ખેડૂતોને હાલાકી પડી શકે છે.
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવા લાગી છે. વણાંકબોરી ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી કેનાલોમાં પાણી નહી છોડવા નિર્ણય લેવામાં આવ્યો છે. ચરોતરની કેનલોમાં 30 માર્ચથી પાણી બંધ કરવામાં આવનાર છે. જેને કારણે ખેડૂતોને સીઝનમાં પાણી મેળવવું મુશ્કેલ બનશે. ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે. ત્યારે પાણીની સમસ્યા ઉભી થવા પામી છે. વણાંકબોરી ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. જેને લઇને તંત્ર દ્વારા કેનાલોમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉનાળા માટે પાણી રિઝર્વ રાખવામાં આવનાર છે. પાણી બંધ થતાં કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલી વધશે.
ચરોતર, સૌરાષ્ટ્ર અને અમદાવાદ શહેર માટે જીવાદોરી સમાન વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો હોવાથી આવનાર દિવસોમાં પાણીની સમસ્યા ઉદભવે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. નોધનીય છે કે, ગત વર્ષે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમમાંથી બે લાખ કયુસેક પાણી વણાંકબોરી ડેમમાં છોડતાં ડેમ છલકાઇ ગયો હતો. વણાંકબોરી ડેમની ૨૨૧ ફૂટની સપાટી વટાવીને ૨૩૨ ફૂટથી (સપાટી કરતાં ૧૧ ફૂટથી) પાણી ડેમમાં આવ્યુ હતું. જેને કારણે આ પાણીનો જથ્થો મહીસાગર નદીમાં છોડવું પડ્યુ હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પડેલા વરસાદના કારણે કડાણા ડેમ ઓવરફ્લો થયો હતો. જેથી આ ડેમમાંથી ૨ લાખ કયુસેક પાણી વણાકબોરી ડેમમાં છોડવામાં આવ્યું હતું. વણાંકબારી ડેમની ૨૨૧ ફૂટની સપાટી વટાવીને ઓવરફલો થયો હતો. પરંતુ ઉનાળો આવતા આવતા ડેમમાં પાણી સતત ઘટી રહ્યુ છે. જેને કારણે કેનાલોમાં પાણી બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવો પડ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army