બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Kishor
Last Updated: 11:13 PM, 29 September 2023
મ્યુચ્યુઅલ ફંડમાં લાખો લોકો રોકાણ કરતા હોય છે. જેમાં જ્યા સુધી બજાર બરાબર હોય ત્યાં સુધી ઠીક છે બાકી સૂચકઅંકો જેવા લીલાથી લાલમાં બદલાતા હોય છે. કે તરત જ મોટાભાગના રોકાણકારો ડર અનુભવતા હોય છે. બાદમા લોકો કા તો ઝડપથી રોકાણ વેંચી નાખે છે અથવા રોકાણ બંધ કરી દે છે. પરંતુ શુ ધોવાણ સમયે રોકાણકારોએ બહાર નીકળી જવું એ યોગ્ય રસ્તો છે.? અથવા તો મંદી સમયે રોકાણ અટકાવી દેવું તે યોગ્ય રસ્તો છે? જો તમે પણ આવું કરતા હોય તો આ આ ટિપ્સ તમારા માટે છે.
શેરબજારમાં 40 ટકાનો ઘટાડો આવ્યો હતો
કોરોના મહામારીના દરમિયાન મોટું આર્થિક નુકસાન થતા શેરબજારમાં 40 ટકાનો ઘટાડો આવ્યો હતો. બધું ધોવાણ થઈ જાય તેવો ડર હતો. ત્યારે મોટા ભાગના લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી બંધ કરી દીધી. ઘણા લોકો તો ડરનામાર્યા પડતર કિંમતે રોકાણ છૂટું કરીને નીકળી ગયા હતા. કારણ કે લોકોના મનમાં એવું હતું કે બધું જ ગુમાવી બેસવાનો વારો આવશે.
નફો આજે આંકડા વટાવી ચુક્યો છે
અમૂક લોકોએ આ પરિસ્થિતિને અવસરમાં બદલી ભાવ ઘટાડા સમયે રોકાણ કરી નાખ્યું હતું. જેનો નફો આજે આંકડા વટાવી ચુક્યો છે. મોટાભાગના લોકોએ નુકસાન સહન કર્યા પછી મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નીકળી ગયા હતા. જેન લઈને આ ફંડ ખોટનો ધંધો સાબિત થયું હતું. પરંતુ ખરેખર આવા લોકો પાસે આયોજન અને માર્ગદર્શનનો અભાવ હોવાનું જણાય રહ્યું છે.
પોર્ટફોલિયો લાલ રંગમાં હોય ત્યારે શું કરવું?
જ્યારે પોર્ટફોલિયો લાલ રંગમાં હોય ત્યારે મોટાભગના લોકો નાસીપાસ થતા હોય છે અને નફો થતો નથી તેમ વિચારી બહાર નીકળી જતા હોય છે. પરંતુ નિષ્ણાતોના મતે, લાંબા ગાળાના રોકાણકારોએ બિલકુલ ગભરાવું જોઈએ નહીં અને પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને SIP ચાલુ જ રાખવી જોઈએ.
7 વર્ષનું લાંબા ગાળાનું વિઝન હોવું જોઈએ
નિષ્ણાતો તો એવું માને છે કે જ્યારે બજારમાં ઘટાડો થાય છે ત્યારે રોકાણ વધારવાની તક હોય છે.આથી ઘટતી બજારે તમે વધુ સારા ફંડમાં SIP પણ શરૂ કરી શકો છો. કારણ કે શેરબજારમાં તેજી આવતા જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને સારું વળતર મળશે અને સારી કમાણી થશે. એક વાત એવી પણ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઘટાડો ટૂંકા ગાળાના રોકાણકારો માટે નુકસાનભર્યો સાબિત થઈ શકે છે. જ્યારે લાંબા ગાળે ક્યારેય કોઈ નુકસાન થતું નથી.તેવો દાવો કરાઈ છે. ઓછામાં ઓછા 7 વર્ષનું લાંબા ગાળાનું વિઝન હોવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army