બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / મુંબઈ / shivsena leader sanjay raut says shivsena will follow the coalition dharma till last moment with BJP
Parth
Last Updated: 05:46 PM, 2 November 2019
ગઠબંધન ધર્મનું પાલન કરીશું
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા તે દિવસથી જ ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદ માટે વિખવાદ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોઈ પણ પાર્ટીને બહુમત મળ્યું નથી જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધન સરકાર બનવવાની સ્થિતિમાં છે પરંતુ શિવસેના દ્વારા 50-50 ફોર્મ્યુલાની માંગ કરાતા મામલો અટકી પડ્યો છે. જોકે હવે શિવસેનાનું વલણ નરમ પડતું દેખાઈ રહ્યું છે. શિવસેનાએ કહ્યું છે કે તેમણે ક્યારેય વાતચીત બંધ નથી કરી અને તે ગઠબંધન ધર્મનું પાલન કરશે. આપણે જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 8 નવેમ્બરના રોજ પૂરો થઇ રહ્યો છે અને હજુ સુધી ભાજપ-શિવસેના વચ્ચે આધિકારિક સંવાદ શરુ નથી થયો.
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે સેનાએ ગઠબંધન રહીને ચૂંટણી લડી હતી અને અમે છેલ્લી ઘડી સુધી ગઠબંધન ધર્મનું પાલન કરીશું. બીજીબાજુ કોંગ્રેસ નેતા દ્વારા સોનિયા ગાંધીને પત્ર લખવામાં આવ્યો છે જેનું સંજય રાઉતે સ્વાગત કર્યું હતું, આ પત્રમાં શિવસેનાના નેતૃત્વવાળી સરકારને કોંગ્રેસ સમર્થન આપે તેવી આજીજી કરવામાં આવી છે.
શિવસેના-ભાજપને છોડીને બધા એકબીજાથી વાત કરી રહ્યા છે: રાઉત
શુક્રવારે સંજય રાઉતે દાવો ઠોકયો હતો કે રાજ્યમાં મજબુત સરકાર બનાવવા માટે શિવસેના પાસે તાકાત છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં વર્તમાન રાજનીતિક સ્થિતિને જોતા બધા એકબીજા સાથે વાત કરી રહ્યા છે સિવાય ભાજપ-શિવસેના. તેમણે કહ્યું કે અમે ગઠબંધનની વાતચીત નથી રોકી પણ વાત ચાલુ જ નથી થઈ.
શિવસેના-NCP ગઠબંધનની થઇ હતી ચર્ચા
ગુરુવારે સંજય રાઉતે NCP નેતા શરદ પાવર સાથે મુલાકાત કરી હતી જે બાદ રાજ્યભરમાં NCP શિવસેના વચ્ચે ગઠબંધનની અટકળો લાગી હતી. જેના પર શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રને લઈને ઘણા મુદ્દાઓને લઈને નેતાઓ વાતચીત કરી રહ્યા છે. જ્યાં બીજી તરફ કોંગ્રેસ નેતાઓએ પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
શરદ પવારે વિપક્ષમાં બેસવાની કરી વાત
એનસીપીના પ્રમુખ શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે તેમનો પક્ષ વિપક્ષમાં બેસશે. તેમણે કહ્યું કે જનતાએ અમને વિપક્ષ તરીકે પસંદ કર્યા છે. અમે વિરોધ પક્ષમાં બેસીશું. ગુરુવારે શિવસેનાના નેતા સંજય રાઉતને મળ્યાં બાદ તેમણે કહ્યું હતું કે રાઉતે મને મળ્યા હતા, પરંતુ શિવસેના વિશે કોઈ વાત થઈ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ