બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / sensational murder of 6 people property dispute bjp leadear mandla madhya pradesh
Dharmishtha
Last Updated: 02:18 PM, 16 July 2020
મંડલા જિલ્લાના બીજાડાંડી પોલીસ સ્ટેશનની મનેરી ચોકીમાં 6 લોકોની સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે. સોની પરિવારના જ 2 પરિવારની વચ્ચે સંપત્તિ વિવાદને લઈ આ ઘટનાને આખરી ઓપ આપ્યો હતો.
એક પરિવારના 2 લોકોએ બીજા પરિવારના સભ્યોની ધારદાર હથિયારથી મોતને ઘાટ ઉતાર્યા હતા. મરનાર રાજેન્દ્ર સોની ભાજપના વરિષ્ઠ નેતા હોવાનું જાણવા મળ્યું છે. આ ત્યા કાંડમાં 2 બાળકો સહિત 6 લોકોની હત્યા કરવામાં આવી છે. આથીગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ 2 આરોપીમાંથી 1ની લાઠી મારીને હત્યા કરી નાંખી હતી.
મળતી માહિતી મુજબ સોની પરિવારના બે ભાઈઓના પરિવાર વચ્ચે પૈતૃક સંપતિને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે એક ભાઈના પરિવારે બીજા ભાઈના પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરી દીધો.
મૃતક રાજેન્દ્ર ગલ્લો ચલાવતા હતા તેમના દુકાન પર આરોપીઓએ હુમલો કર્યો હતો અને ત્યાં જ રાજેન્દ્રની મોત થઈ હતી. એ બાદ 7 અને 10 વર્ષના બાળક પરિવારના 5 સભ્યોની હત્યા કરી હતી.
મૃતકોમાં રાજેન્દ્ર સોની(58)., તેમનો ભાઈ વિનોદ (45), તેમનો ભત્રીજો ઓમ(9), ભત્રીજી પ્રિયાંશી(7), દીકરી પ્રિયા(28) અને તેમના વેવાઈ દિનેશ સોની (50)નો સમાવેશ થાય છે. તેમજ હત્યાકાંડના આરોપી સંતોષ સોની (35)નું મોત ગામજનોના મારથી થયું હતું. જ્યારે અન્ય આરોપી હરી સોનીની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસને જોઈ હરી ભાગી રહ્યો હતો. પોલીસે તેના પગમાં ગોળી મારી તેની ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ