બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / SBI card IPO prices might drop amid global recession atmosphere

મંદી / SBI કાર્ડના IPO થી અમીર બનવાનું સપનું હોય તો તમારી માટે આવ્યાં ખરાબ સમાચાર

Shalin

Last Updated: 05:40 PM, 1 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં ઉપરાછાપરી મોટા કડાકાના કારણે એસબીઆઇ કાર્ડના આઇપીઓ દ્વારા અમીર બનવાનું રોકાણકારોનું સપનું રગદોળાઇ શકે છે. સોમવારથી ખૂલી રહેલ એસબીઆઇ કાર્ડના આઇપીઓ પર શેરબજારની મંદી હાવી થઇ શકે છે. એસબીઆઇ કાર્ડનો આઇપીઓ દેશનો પાંચમા નંબરનો સૌથી મોટો આઇપીઓ છે, જેમાં રોકાણકારો ૧૩ કરોડ શેર માટે બોલી લગાવશે.

શુક્રવારે શેરબજારમાં ૧,૪૦૦ પોઈન્ટ કરતા વધુ કડાકો બોલાઇ જતાં એસબીઆઇ કાર્ડના આઇપીઓ માટેના રિટેલ ઇન્વેસ્ટર્સની ઊંઘ હરામ થઇ ગઇ છે. અત્યાર સુધી સુરક્ષિત મનાતાં એસબીઆઇ કાર્ડના આઇપીઓ પર હવે શંકા-કુશંકાના વાદળો ઘેરાયાં છે. શેરબજારની મંદીની અસર આઇપીઓના પ્રોફિટ પર પડી શકે છે.

આ ઇશ્યૂ સાઇઝનો લગભગ ૩૫ ટકા ભાગ નાના રોકાણકારો માટે રિઝર્વ રખાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં મોટા ઘટાડાથી રોકાણકારો ચિંતિત છે, પરંતુ સામે પક્ષે એવું પણ આશ્વાસન મળી રહ્યું છે કે પ્રાઇમરી માર્કેટ પર તેની મોટી અસર પડવાની સંભાવના નથી.

સૌથી ખરાબ હાલતમાં આઇપીઓના સબસ્ક્રિપ્શન લેવલ પર નજીવી અસર પડી શકે છે. તેના કારણે આઇપીઓના લિસ્ટિંગ પ્રીમિયમ પર પણ થોડી અસર પડી શકે છે. આ ઈશ્યૂ માટે ગ્રે માર્કેટમાં આજ કાલ ૨૦૦થી ૨૫૦ રૂપિયાનું પ્રીમિયમ બોલાઇ રહ્યું છે. જો શેરબજારમાં મંદીનો સિલસિલો ચાલુ રહેશે તો એસબીઆઇ કાર્ડનો આઇપીઓ ઓછા પ્રીમિયમે લિસ્ટ થશે એવો ડર રોકાણકારોમાં પ્રવર્તી રહ્યો છે.

એસબીઆઈ કાર્ડના આઇપીઓ હેઠળ ડીઆરએચપી અનુસાર કંપની ઓફર ફોર સેલ દ્વારા બજારમાં ૧૩,૦૫,૨૬,૭૯૮ ઇક્વિટી શેર લાવશે. તેમાં ૩,૭૨,૯૩,૩૭૧ સુધી શેરોનું વેચાણ એસબીઆઇ અને બાકીના ૯,૩૨,૩૩,૪૨૭ શેર કાર્બાઇલ ગ્રૂપ કરશે. આ ઉપરાંત કંપની રૂ. ૫૦૦ કરોડના ફ્રેશ ઇક્વિટી શેર પણ ઈશ્યૂ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ