બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Manisha Jogi
Last Updated: 09:10 PM, 20 August 2023
શિવજીને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે અને વ્રત રાખે છે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જે પૂજા પાઠ, વ્રત અને ઉપાય કરવામાં આવે તેથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. તમને જણાવી દઈએ કે, હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇથી શરૂ થયો છે, ગુજરાતમાં 18 જુલાઇથી અધિક માસ શરૂ થયો છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કાળસર્પ દોષનો ખતરનાક માનવામાં આવે છે. કાળસર્પ દોષ 12 પ્રકારના હોય છે, જેનાથી વ્યક્તિના જીવન પર અલગ અલગ અસર થાય છે. કહેવામાં આવે છે કે, જે રાશિના જાતકોની કુંડળીમાં આ દોષ હોય તેના જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે. આ કારણોસર લોકો આ નામ સાંભળતા જ ડરી જાય છે. જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુ સાથે હોય અને તેમની વચ્ચે કોઈ ગ્રહ આવી જાય તો આ દોષનું નિર્માણ થાય છે. ભગવાન શિવની ઉપાસનાથી આ દોષના પ્રભાવને ઓછો કરી શકાય છે. શ્રાવણના સોમવારે પંચાક્ષર સ્તોત્રના પાઠ કરવાથી કાળસર્પ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
શિવ પંચાક્ષર સ્તોત્રનું મહત્ત્વ
શિવ પંચાક્ષર સ્તોત્રના પાંચ શ્લોકમાં ‘नम: शिवाय’ એટલે કે, ‘न’, ‘म’, ‘शि’, ‘वा’ અને ‘य’માં શિવજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં શિવજીની સ્તુતિ વિશે લખવામાં આવ્યું છે અને શિવજીના સ્વરૂપ તથા ગુણ જણાવવામાં આવ્યા છે. શ્રાવણ મહિનાના સોમવારે આ સ્તોત્રના પાઠ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. આ કારણોસર શિવજીની પૂજામાં તથા સોમવારે આ સ્તોત્રના પાઠ જરૂરથી કરવા જોઈએ. ઉપરાંત કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો આ સ્તોત્રના પાઠ જરૂરથી કરવા જોઈએ.
શિવ પંચાક્ષર સ્તોત્ર
नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगंबराय तस्मे न काराय नम: शिवाय:।।
मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय।
मंदारपुष्प बहुपुष्प सुपूजिताय तस्मे म काराय नम: शिवाय:।।
शिवाय गौरी वदनाब्जवृंद सूर्याय दक्षाध्वरनाशकाय।
श्री नीलकंठाय वृषभद्धजाय तस्मै शि काराय नम: शिवाय:।।
वशिष्ठ कुभोदव गौतमाय मुनींद्र देवार्चित शेखराय।
चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै व काराय नम: शिवाय:।।
यज्ञस्वरूपाय जटाधराय पिनाकस्ताय सनातनाय।
दिव्याय देवाय दिगंबराय तस्मै य काराय नम: शिवाय:।।
पंचाक्षरमिदं पुण्यं य: पठेत शिव सन्निधौ।
शिवलोकं वाप्नोति शिवेन सह मोदते।।
नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगंबराय तस्मे ‘न’ काराय नमः शिवायः।।
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા