બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / rising corona cases center alerts up haryana delhi mizoram
Dhruv
Last Updated: 08:54 AM, 20 April 2022
દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ ફરીથી ચિંતા વધારી દીધી છે ત્યારે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ સતર્ક રહેવા સૂચના આપી છે. કેન્દ્ર દ્વારા મંગળવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમને એલર્ટ કરવામાં આવ્યા છે.
5 પોઈન્ટ એક્શન પ્લાન પર જોર આપવા જણાવ્યું
સરકારે જણાવ્યું કે, આ રાજ્યોએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ચાંપતી નજર રાખવી જોઈએ અને જો ચિંતાવાળા ક્ષેત્રોમાં જરૂરિયાત પડે તો અગાઉથી જ પગલાં લેવા માટે તૈયાર રહેવું જોઈએ.
ઢીલાશ રાખશો તો લડાઇ હારી જશો
પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, 'રાજ્યો સખતમાં સખત તકેદારી રાખે અને કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે જો જરૂરી લાગે તો ચિંતાવાળા ક્ષેત્રોએ અગાઉથી જ પગલાં લઇ લેવાં.' તેમણે પત્રમાં એમ પણ કહ્યું છે કે, કોઈ પણ સ્તર પરની શિથિલતા કોવિડના પ્રતિબંધમાં અત્યાર સુધીની ઉપલબ્ધિને હરાવી દેશે.
ઉલ્લેખનીય છે કે, આ રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીમાં આ અઠવાડિયામાં સંક્રમણના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જો દિલ્હીની જ વાત કરીએ તો મંગળવારે કોરોનાના નવા 632 કેસ સામે આવ્યા હતાં જ્યારે સંક્રમણનો દર 4.42 ટકા નોંધાયો હતો. દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી કોઈનું મોત થયું નથી. આ સાથે દિલ્હીમાં સોમવારે કોરોનાના નવા 501 કેસ નોંધાયા હતાં. રવિવારે 517 નવા કેસ નોંધાયા હતા. સંક્રમણ દરમાં સતત ફેરફાર થતો જોવા મળી રહ્યો છે.
ગૌતમબુદ્ધ નગરમાં મંગળવારે 107 નવા કેસ નોંધાયા હતાં જેમાંથી 33 તો બાળકો હતાં
અધિકારીએ જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં મંગળવારે 107 નવા કેસ નોંધાયા હતાં જેમાંથી 33 તો બાળકો હતાં. દિલ્હીથી નજીક આવેલ ગૌતમબુદ્ધ નગરમાં એક્ટિવ કેસની સંખ્યા 411 એ પહોંચી ગઈ છે. સોમવારે શહેરમાં 65 નવા કેસ નોંધાયા હતા. બીજી બાજુ મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ -19 ના 137 કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા હતાં. જેનાથી રાજ્યમાં તેની સંખ્યા 78,76,041 થઈ ગઇ છે અને રાજ્યમાં આંકડો 1,47,830 એ પહોંચ્યો છે. સોમવારે અહીંયા 59 કેસ મળી આવ્યા હતાં જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા શૂન્ય હતી. મુંબઈમાં 85 કેસ છે, જ્યારે ત્રણ મૃત્યુમાંથી બે પુણે શહેરમાં અને એક પરભણીમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ