બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 12:20 PM, 9 September 2023
તમે તમારા કોઈ પણ કામ માટે બેંકમાં જાઓ અને ત્યાં હાજર કર્મચારી તમારૂ કામ કરવામાં બેદરકારી બતાવે તો ખૂબ મુશ્કેલી થાય છે. પરંતુ તમારા કામને ડ્યુટીના કલાકોમાં ન કરીઆપતા કર્મચારીઓ પર હવે તરત એક્શન લઈ શકાય છે. RBIએ બેંક ગ્રાહકોને ઘણા પ્રકારના અધિકાર આપ્યા છે અને તમામ સુવિધાઓ આપી છે. જેના દ્વારા તમે કોઈ પણ મુશ્કેલીઓની ફરિયાદ કરી શકો છો.
RBIએ ગ્રાહકોને આપ્યા છે ઘણા અધિકાર
હકીકતે બેંક ગ્રાહકોને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો જાણકારીના અભાવમાં કરવો પડે છે. કારણ કે આવી સ્થિતિ આવે ત્યારે તેમની પાસે કયા કયા અધિકાર છે તેના વિશે વધારે લોકોને જાણકારી નથી. જ્યારે તમને આ પ્રકારની બેદરકારી લાગે તો તમે કર્મચારીઓ પર કાર્યવાહી કરાવી શકો છો.
બેંક ગ્રાહકોને ઘણા એવા અધિકાર મળ્યા છે. જેની જાણકારી સામાન્ય રીતે કસ્ટમર્સને નથી હોતી. ગ્રાહકોની સાથે બેંક યોગ્ય વ્યવહાર કરે તે જરૂરી છે. બેંકમાં ગ્રાહકનું કામ ન થાય તો તે પોતાના અધિકારનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી શકે છે.
કરો આ કામ
પોતાના અધિકારોની જાણકારીના અભાવમાં ગ્રાહક કર્મચારીઓના બેદરકારી ભર્યા વર્તનનો શિકાર થઈને પોતાના કામ માટે આમતેમ ભટકે છે અને કલાકો સુધી રાહ જુએ છે. પરંતુ તમારી સાથે જો આગળ આ પ્રકારનો કોઈ મામલો સામે આવે તો જાણી લો કે તમે તે કર્મચારીની ફરીયાદ સીધી બેંકિંગ લોકપાલને કરી શકો છો અને સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.
તમારે બસ એટલું કરવાનું રહેશે કે આવી મુશ્કેલી આવવા પર શાંત રહીને બેસવાની જરૂર નથી. પરંતુ કોઈ બેંક કર્મી તમારા કામને કરવામાં મોડુ કરે તો સૌથી પહેલા બેંકના મેનેજર કે નોડલ ઓફિસરની પાસે જઈને તમારી ફરિયાદ નોંધાવો.
બેંક કસ્ટમર્સની પાસે ફરિયાદ કરવાની આ રીતો
બેંક ગ્રાહક પોતાની ફરિયાદને ગ્રીવેંસ રિડ્રેસલ નંબર પર નોંધાવી શકે છે. હકીકતે ગ્રાહકોની ફરિયાદ દોવા માટે લગભગ દરેક બેંકની ગ્રીવેંસ રિડ્રેસલ ફોરમ હોય છે. જેના દ્વારા પ્રાપ્ત ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.
તેના માટે તમે જે બેંકના ગ્રાહક છો તે બેંકના ગ્રીવેંસ રિડ્રેસલ નંબર લઈને ફરિયાદ કરી શકો છો. તેના ઉપરાંત બેંકને ટોલફ્રી નંબર પર કોલ કરવા કે પછી બેંકના ઓનલાઈન પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવવાની સુવિધા આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir