બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / 'Proper work will be done in the matter of stray cattle' boasts of Ahmedabad's new mayor Pratibha Jain
Vishal Khamar
Last Updated: 08:35 PM, 11 September 2023
રખડતા ઢોર અને હાટકેશ્વર બ્રિજ મામલે પણ યોગ્ય કામ થશે: મેયર
અમદાવાદ મહાનગર પાલિકામાં અઢી વર્ષ માટે નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનની વરણી આજે કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે અમદાવાદનાં નવા મેયર પ્રતિભા જૈને ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે, શહેરની પ્રાથમિક સુવિધાને પહેલું સ્થાન આપવામાં આવશે. ત્યારે મેયર બન્યા બાદ તેમને અલગથી બંગલાની ફાળવણી કરવામાં આવે છે. જે બાબતે પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, મેયર બંગલામાં રહેવા બાબતે હજુ વિચાર્યું નથી. તેમજ રખડતા ઢોર અને હાટકેશ્વર બ્રિજ મામલે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
વિકાસનાં કામમાં કોઈ કચાશ ન રહે તેવો હર હંમેશ અમારો પ્રયાસ રહેશેઃ જતીન પટેલ (ડેપ્યુટી મેયર )
અમદાવાદ મહાનગર પાલિકાનાં નવી ડેપ્યુટી મેયર જતીન પટેલે જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે અમદાવાદ શહેરની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. તે પ્રમાણે નગરની વ્યાખ્યામાં આવતા નળ, ગટર, પાણી, રોડ, રસ્તા, લાઈટો તેમજ પ્રાથમિક સુવિધાઓને અમે પ્રાધાન્ય આપીશું. વિકાસનાં કામમાં કોઈ કચાશ ન રહે તેવો હર હંમેશ અમારો પ્રયાસ રહેશે.
ટ્રાફિકની સમસ્યા હલ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે:દેવાંગ દાણી
અમદાવાદ મહાનગર પાલિકામાં આવતીકાલથી જૂની બોડીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. તેનાં એક દિવસ પહેલા અમદાવાદ મહાનગર પાલિકાનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન તરીકે દેવાંગ દાણીની વરણી કરવામાં આવી હતી. ત્યારે દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, બજેટમાં શહેરનાં વિકાસને લગતા અનેક કામો મંજૂર કરવામાં આવ્યા છે. બજેટમાં જાહેર કરાયેલા બાકી કામ ઝડપી પૂર્ણ કરવામાં આવશે. તેમજ અમદાવાદનો માથાના દુઃખાવા સમાન એવો ટ્રાફિકનો પ્રશ્નને લઈ મહાનગર પાલિકા દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે ટ્રાફિક સમસ્યા બાબતે દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સૌ સાથે મળી અવિરત લોક કલ્યાણ તેમજ શહેરનાં વિકાસનાં કાર્યોને વેગવંતા બનાવશુંઃ પિંકીબહેન સોની
વડોદરા શહેરના નવા મેયર તરીકે પિંકીબહેન સોનીની પસંદગી કરવામાં આવી છે. પિંકીબહેન સોનીએ પોતાને મેયરની જવાબદારી આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે વડોદરાનો વિકાસ અને લોકકલ્યાણના કાર્યને વેગ આપવા પૂરતી મહેનત કરીશ. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની સેવાને પ્રાધાન્ય આપી જનતા માટે સતત અવિરત સેવા કાર્યો કરવાનું પ્રાધાન્ય આપીને દરેક કાર્યકર્તા કામ કરતો હોય છે. અમે સૌ સાથે મળી લોકકલ્યાણ તેમજ શહેરનાં વિકાસનાં કાર્યોને વેગ આપીશું.
શહેરનાં નાગરિકોને જે કંઈ સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવા માટે પુરતો પ્રયત્ન કરીશુંઃ ચિરાગ બારોટ (ડેપ્યુટી મેયર, વડોદરા મહાનગર પાલિકા)
વડોદરાનાં નવીન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે, મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે. એને સાર્થક કરીશ. અને આગામી અઢી વર્ષનાં પૂરેપૂરો સમય આપી વડોદરા શહેરનાં વિકાસમાં અમે સૌ કોર્પોરેટર મિત્રો સાથે મળીને કામ કરીશું. શહેરનાં નાગરિકોને જે કંઈ પણ સમસ્યા હશે તે અમારા મુખ્ય મુદ્દા હશે. તેમજ શહેરનાં નાગરિકોને જે કંઈ સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવા માટે પુરતો પ્રયત્ન કરીશું. અને આગામી અઢી વર્ષ વિકાસનાં કાર્યો કરીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army