બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / price of green vegetables and lemons increased noida and greater noida market
Pravin
Last Updated: 07:32 PM, 8 April 2022
સામાન્ય માણસ માટે હાલ તો લીંબૂના દર્શન દુર્લભ થઈ ગયા છે, પણ સાથે સાથે હવે લીલી શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. ખિસ્સા ખાલી કરવામાં ડુંગળી પણ પાછળ નથી. નવરાત્રિ ચાલૂ છે. તેમ છતાં પણ ડુંગળીના ભાવ ચડેલા છે. નોઈડમાં લોકો હવે લીંબૂને જોઈને મોં ફેરવી રહ્યા છે. ઈંધણના વધતાં ભાવ, નવરાત્રિ અને રોઝા તથા ઓછા ઉત્પાદનના કારણએ લીંબૂના ભાવ 350થી 400 રૂપિયા કિલો સુધી પહોંચી ચુક્યા છે. ગૌતમબુદ્ધ નગરમાં લીલી શાકભાજીના ભાવ છેલ્લા બે ત્રણ દિવસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લીલા શાકભાજીમાં ભિંડા, પરવળ, કાકડી, દૂધી, તુરિયા અને સીતાફળ સહિત કેટલાય શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે.
ત્રણથી ચાર દિવસમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયા ભાવ
નોઈડાની ફુલપુર મંડી અને ગ્રેટર નોઈડાની માર્કેટમાં ભિંડા 100 રૂપિયાથી 125 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. જ્યારે કારેલા ત્રણ દિવસમાં 80 રૂપિયાથી 100 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે. કહેવાય છે કે, નવરાત્રિમાં ઉપયોગ ઓછો હોવાના કારણે ડુંગળીના ભાવ ઘટી જતાં હોય છે. પણ માર્કેટમાં ડુંગળી 40થી 50 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે.
જો કે, 40 રૂપિયે કિલોવાળી ડુંગળી ખૂબ જ નાની હોય છે. આદૂ 90થી 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયું છે. તો વળી શિમલા મરચા 100 રૂપિયે કિલો વેચાયા બાદ હવે 120 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. દૂધી 60 રૂપિયા કિલો અને સીતાફળ 50થી 60 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. ટામેટાના ભાવ પણ 70થી 90 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે.
શા માટે વધી રહ્યા છે શાકભાજીના ભાવ
પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ સતત વધી રહ્યા છે. નવરાત્રિ અને રોઝાના સમયમાં લીંબૂ અને અમુક ખાસ શાકભાજીની ડિમાન્ડ વધી ગઈ છે. તો વળી જાણકારોનું કહેવુ છે કે, આ વખતે લીંબૂથી લઈને અમુક ખાસ લીલી શાકભાજીનું ઉત્પાદન ઓછુ થયું છે. તો વળી ઈંધણના ભાવ મોંઘા હોવાના કારણે ખેડૂતો પોતાની શાકભાજી શહેર સુધી લાવવામાં સક્ષમ નથી. તેને લઈને લીંબૂ અને શાકભાજીના ભાવ વધી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે, નવરાત્રિ અને રોઝા ખતમ થયા બાદ ધીમે ધીમે ભાવ ઉતરવા લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ