બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Ronak
Last Updated: 03:12 PM, 5 July 2021
રાજકોટ શહેરમાં ઘરકંકાસમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના ભીચરી અમરગઢ ગામે રહેતા જીવુબેને એેસિડ પીને મોતને વ્હાલુ કરી લીધું, જેના કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાએ એસિડ પીધો તેના તુરંત બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.
મહિલાના ગર્ભમાં બે બાળકો હતા
આપને સાંભળીને નવાઈ લાગશે કે મૃતક મહિલા સર્ગભા હતી અને તેના ગર્ભમાં બે સંતાન હતા. મહિલાના તેના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. જે ઝઘડાઓથી કંટાળીને મહિલાએ મોતને વ્હાલું કરી લીધું.
મહિલાના પરિવારજનોએ પતિ પર કર્યા આક્ષેપ
મૃતક મહિલાના ભાઈ ભાભીએ તેના પતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના કહેવા પ્રમાણે તેના પતિના ત્રાસને કારણેજ જીવુબેને આ પગલું ભર્યું છે. સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. જેમા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. પોલીસે મહિલાના પતિ સામે ફરિયાદ નોંધી છે. સાથેજ કયા કારણોસર મહિલાએ આપઘાત કર્યો તેની તપાસ આરંભી છે.
રૂપિયા બાબતે થયો હતો ઝઘડો
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલાના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ તેને એક પુત્ર પણ થયો જે હાલ 3 વર્ષનો છે. મૃતક મહિલાનો પતિ ભીચરી ગામે છૂટક મજૂરી કામ કરે છે. બનાવના દિવસે પતિ પત્ની વચ્ચે રૂપિયા બાબતે ઝઘડો થયો હતો. જેમા પત્નીએ પોતાનું ભાન ગુમાવીને એસીડ પી લીધું તેવી માહિતી સામે આવી છે.
મહિલાને તેનો પતિ અને સસરા ત્રાસ આપતા હતા
ઉલ્લેખનીય છે કે મૃતકના ભઈ-ભાઈએ એવા આક્ષેપો કર્યા છે. પતિ અને સસરા મૃતક મહિલાને ખુબ ત્રાસ આપતા હતા. સાથેજ તેઓ ફોન કરીને ધાકધમકી પણ આપતા હતા. સમગ્ર મામલે મૃતક મહિલા ભાઈ ભાભીનું એમ કહેવું છે કે તેણે એસિડ પીધું નથી પરંતુ પિવડાવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ