બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Parth
Last Updated: 09:06 PM, 3 August 2021
ગુજરાતમાં આજે અન્નોત્સવ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં અનાજની વહેચણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ગરીબ પરિવારો સાથે વાતચીત કરી હતી. સાથેજ ગરીબ પરિવારોને અનાજની વહેચણી પણ કરવામાં આવી હતી. જેને લઈને પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વડનગરનાં નરસિંહ ભાઈ પ્રજાપતિ સાથે વાતચીતમાં PM મોદીએ યોજનાનો શું લાભ મળી રહ્યો છે તેના પર સંવાદ કર્યો હતો. PM મોદીએ જ્યારે પૂછ્યું કે હવે આ અનાજનો ખર્ચો થતો નથી તો જે પૈસા બચે તેનું શું કરો છો? તો સામે નરસિંહ ભાઈએ જવાબ આપ્યો હતો કે આ ખર્ચો તો બચી જાય પણ સામે બીજો ખર્ચો તો હોય જ ને! દવાનો ખર્ચો પણ હોય છે. ચાલુ સંવાદનો આ વીડિયો હાલ તો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રાજકોટવાસીઓનું ઋણ મારા માથે છે : PM મોદી
વડાપ્રધાન મોદીએ રાજકોટના લાભાર્થીઓ સાથે વાત કરતા કહ્યું હતું કે હુ રાજકોટમાં પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂટાયો હતો. જેથી રાજકોટવાસીઓનું ઋણ કાયમ માટે મારા માથે છે. જોકે ગરીબોના અનાજની વહેચણી કરવામાં આવી જેના કારણે તેમના પરિવારમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Interacting with beneficiaries of PM-GKAY in Gujarat. Watch. #HarGharAnn https://t.co/EmS7elz5O6
— Narendra Modi (@narendramodi) August 3, 2021
મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
દાહોદમાં CM રૂપાણની અધ્યક્ષતાાં આ કાર્યક્રમ યોજાયો હતો જ્યા વડાપ્રધાને વીડિયો કોન્ફરસ્ન દ્વારા ગરીબ પરીવારો સાથે વાત કરી. જેમા તેમણે કહ્યું કે કુલ 4.25 ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સીધી વાત કરવામાં આવી હતી.
ગરીબોના મનમાં હવે સરકાર માટે વિશ્વાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ કહ્યું કે આજે દેશનો કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સૂવો જોઈએ. દરેક ગરીબને ખાવાનું મળી રહેવું છે. સાથેજ તેમણે કહ્યું કે ગરીબોના મનમાં હવે સરકાર માટે વિશ્વાસ છે.
બોગસ લાભાર્થીઓને હટાવામાં આવ્યા
વધુમાં PM મોદી બોલ્યા કે કોરોનાકાળા બાદ લાકો લાભાર્થીઓને નિશુલ્ક અનાજ આપવામાં આવ્યું છે. સાથેજ લાખો એવા બોગસ લાભાર્થીઓ પણ હતા જેમને હટાવામાં આવ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં પણ કોઈ પણ ગરીબને ભૂખ્યા સુવા નથી દીઘા.
વડનગરના લાભાર્થી સાથે વાતચીત
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વડનગરના લાભાર્થી સાથે પણ વાત કરી હતી. જેમા લાભાર્થીએ તેમનો આભાર માન્યો સાથેજ તેણે એવું પણ કહ્યું હતું કે સરકારની ગરીબ કલ્યાણ યોજનામાં પણ તેમને જરૂરી સાધન સામગ્રી પહેલા મળી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ