બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / PM Modi holds public meeting rally in West Bengal

નિવેદન / EVM મુદ્દે PM મોદીનું સૂચક નિવેદન, કહ્યું- વારંવાર કોઇ અમ્પાયરને કોઇ દોષ આપે ત્યારે સમજી લેવું કે...

Kavan

Last Updated: 04:33 PM, 3 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુગલામાં ચૂંટણી રેલી ગજવી હતી જેમાં EVMને લઈને પ્રથમ વખત નિવેદન આપ્યું હતું.

  • પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી મોદીનો ઝંઝાવાતી પ્રચાર
  • EVMને લઈને આપ્યું મોટું નિવેદન 
  • કહ્યું- અમ્પાયર પર સવાલ ઉઠાવનારની રમતમાં જ ખામી હોય છે 

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા જમાવ્યું હતું કે, જ્યારે કોઇ EVMને દોષ આપવા લાગે ત્યારે સમજી જવું જોઇએ કે નક્કી તેનો ખેલ ખતમ થઈ ચૂક્યો છે.PM મોદીએ કહ્યું કે, ક્રિકેટના મેદાનમાં કોઇ ખેલાડી વારંવાર અમ્પાયર પર સવાલ ઉઠાવે તો સમજી જવું જોઇએ કે, તેની રમતમાં કોઇ ખામી છે. 

બંગાળના લોકો ભાજપની સરકાર ઇચ્છી રહ્યા છે : PM 

PM મોદીએ કહ્યું કે, બંગાળના લોકો દરેક પરીક્ષામાં પાસ થઇ જાય છે. ફેઇલ તો તેવા લોકો થાય છે જેમણે બંગાળનો વિકાસ નથી કર્યો. આજે બંગાળમાં લોકોએ ફરીએકવાર પરિવર્તનની કમાન સંભાળી છે. સોનાર બાંગ્લાના વિઝનમાં અહીંના લોકો ભાજપની સરકાર બનાવવાનું ઇચ્છી રહ્યા છે. માટે અહીંના લોકોએ પહેલા 2 તબક્કાની ચૂંટણીમાં ભાજપની જીતનો રસ્તો નક્કી કર્યો છે. 2 મેના રોજ પરિણામ આવશે જેની ઝલક અમે 2 દિવસ પહેલા નંદીગ્રામમાં જોઇ ચૂક્યા છીએ. 

બંગાળમાં 6 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન

બંગાળની 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 27 માર્ચ અને બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલે થઇ ચૂક્યું છે. હવે 6 તબક્કામાં મતદાન બાકી છે. ત્રીજા તબક્કામાં 31 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થશે. 2016ની ચૂંટણીમાં ટીએમસીએ અહીંની 211 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંની 42 બેઠકોમાંથી 18 બેઠકો જીતી હતી. એટલા માટે આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે.

બંગાળમાં મમતાએ આયુષ્યમાન ભારત યોજના લાગુ થવા દીધી નહીં

પ્રધાનમંત્રીએ કહ્યું કે, કેન્દ્રની દરેક યોજના સામે દીદી દિવાલ બનીને ઉભી રહી છે. ગેરંટી વગર ગરીબોને લોન આપવાની સ્કીમ, આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ સુધીનો ઇલાજ કરવાની યોજના લાગુ છે. પરંતુ મમતા બેનર્જી આ બધુ જ બંગાળમાં લાગુ થવા દેતા નથી. 

આસામમાં પણ ચૂંટણી સભાને કર્યું સંબોધન 

આસામમાં ત્રીજા ચરણની ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદાન પહેલા પ્રધાણાંત્રની મોદીએ આજે તામુલપુરમાં સભાને ગજવી હતી જેમાં એક સમય એવો આવ્યો કે પીએમ મોદીએ પોતાનું ભાષણ અધવચ્ચે અટકાવી દેવું પડ્યું. પીએમ મોદી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ પાર્ટીનો એક કાર્યકર્તા બેભાન થઈ ગયો. પીએમ મોદીની નજર તે કાર્યકર્તા પર પડી તો તરત તેમણે મેડિકલ ટીમને ત્યાં પહોંચી જવા માટે આદેશ આપ્યો. 

પોતાની સાથે આવેલા ડૉક્ટરોને મોકલ્યા 

મંચ પર ભાષણ અટકાવીને પીએમ મોદીએ કહ્યું કે જે મેડિકલ ટીમ મારા સાથે આવી છે તરત ત્યાં પહોંચે, પાણીના અભાવમાં એક કાર્યકર્તાને કઇંક તકલીફ પડી છે. મારા સાથે જે ડૉક્ટરો આવેલા છે તે તરત આ અમારા સાથીની મદદ કરે. અમારા બંધુને પાણીના અભાવમાં તકલીફ પડી છે. 

સેક્યુલરીઝમ પર જોરદાર હુમલો

પીએમ મોદી પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે ધમાકેદાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે આસામમાં પીએમ મોદીએ સેક્યુલરીઝમ પર જોરદાર હુમલો કર્યો છે. સેક્યુલરીઝમ  પર કટાક્ષ કરતાં PM મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકો એવી વાતો ચલાવી રહ્યા છે જો સમાજમાં ભેદભાવ કરીને સમાજના ટુકડા કરીને પોતાના વૉટબેંક માટે કઈં આપો તો દુર્ભાગ્ય તો જુઓ આ વસ્તુને દેશમાં સેક્યુલેરીઝમ કહેવામાં આવે છે. પરંતુ જો અમારા જેવા બધા માટે કામ કરે, ભેદભાવ ન કરે, વિકાસ બધાને આપીએ તો અમે સાંપ્રદાયિક. સેક્યુલરીઝમ- કમ્યુનલિઝમની આ રમતે દેશનું બહુ નુકસાન કરી નાંખ્યું છે. અમે પરિશ્રમ કરનારા લોકો છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ