બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Kavan
Last Updated: 05:34 PM, 26 March 2022
ફિલિપાઈન્સના તાલ જ્વાળામુખી(Taal Volcano) માંથી રાખના મોટા વાદળો ઉછળવા લાગ્યા છે, જેના કારણે રાજધાની મનીલા નજીકના ઘણા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (ફિવોલ્ક્સ) એ જણાવ્યું હતું કે જ્વાળામુખીમાંથી નીકળતા ધુમાડા અને રાખના વાદળ આકાશમાં 1,500 મીટર એટલે ક 1.5 કિલોમીટર સુધી વધતા જોવા મળ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે ગેસ, રાખ અને કાટમાળના ગરમ, ઝડપથી વહેતા લાવાના પ્રવાહને કારણે લોકોને સ્થળાંતર કરવું આવશ્યક છે.
Taal #Filipinas #TaalVolcano #Eruption pic.twitter.com/s3feGjjGb1
— volcanoactive (@VolcanoActive) March 26, 2022
સ્થાનિકો જીવ બચાવવા મુઠ્ઠીવાળીને ભાગ્યા
ફિવોલ્ક્સે કહ્યું કે જો જ્વાળામુખી વધુ ફાટી નીકળે તો તે સુનામીનું કારણ બની શકે છે. ફિવોલ્ક્સ દ્વારા ત્રણ સ્તરની ચેતવણી જારી કરવામાં આવી હતી, જેનો અર્થ છે કે વધુ વિસ્ફોટ થવાની સંભાવના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'તાલ જ્વાળામુખી અંગે લેવલ થ્રી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, તાલ જ્વાળામુખી દ્વીપમાં બિલીબિનવાંગ અને બાન્યાગા અને બટાંગાસના એગોન્સિલો શહેરને ખાલી કરાવવું જોઈએ. તાલ સરોવર પર તમામ કામગીરી અટકાવી દેવામાં આવી છે અને એરક્રાફ્ટને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
તાલ જ્વાળામુખી એ ફિલિપાઈન્સમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે
તાલ તળાવ તાલા જ્વાળામુખીની ટોચ પર બનેલ છે. આ સરોવરમાં ચારેય તરફ લોકો રહે છે, પરંતુ જ્વાળામુખી ફાટ્યા બાદ તેમને ઘર છોડવાની ફરજ પડી છે. અહીં રહેતા લોકોને ત્રણ વર્ષમાં ત્રીજી વખત ઘર છોડવાની ફરજ પડી છે. તાલ જ્વાળામુખી એ ફિલિપાઈન્સમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. અહીં રહેતી એક મહિલાએ જણાવ્યું કે જ્વાળામુખી ફાટ્યા બાદ કાદવ વરસી રહ્યો હતો. તેમણે કહ્યું કે આ માટીમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. સત્તાવાર માહિતી અનુસાર, અહીં 12 હજાર લોકો રહે છે.
જ્વાળામુખી વિસ્ફોટ રીંગ ઓફ ફાયરને કારણે થાય છે
લોકોને વધુ જોખમવાળા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉડ્ડયન અધિકારીઓએ એરલાઇન્સ અને પાઇલટ્સને જ્વાળામુખીની રાખથી બચવા ચેતવણી આપી છે. ફિલિપાઈન્સને અવારનવાર જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપનો ભોગ બનવું પડે છે, કારણ કે તે પેસિફિક મહાસાગરના 'રિંગ ઑફ ફાયર' નજીક આવેલું છે. મોટાભાગના સક્રિય જ્વાળામુખી અને ધરતીકંપ રીંગ ઓફ ફાયરની નજીક નોંધાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ