બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 04:19 PM, 3 August 2023
Parama Ekadashi 2023: અધિકામાસની પરમા અગિયારસ ધન સંકટ દૂર કરનારી માનવામાં આવે છે. આ વ્રતની અસરથી વિષ્ણુજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્રત કરનારને દુ:ખ અને દરિદ્રતાથી મુક્તિ આપે છે. આ વર્ષે અધિકામાસના કૃષ્ણ પક્ષની પરમા અગિયારસનું વ્રત 12 ઓગસ્ટ, 2023ના રોજ મનાવવામાં આવશે.
પરમા અગિયારસ એક એવું વ્રત છે જે પરમ સિદ્ધિઓ પ્રદાન કરનારુ વ્રત છે, માન્યતા છે કે, જો કોઈ કારણસર વ્રત ન રાખી શકાય તો માત્ર પરમ અગિયારસની કથા સાંભળવાથી વ્યક્તિની દરિદ્રતા દૂર થઈ જાય છે.
પરમા એકાદશી 2023 મુહૂર્ત
પરમા અગિયારસ કથા
પૌરાણિક કથા અનુસાર, કામ્પિલ્ય નગરીમાં સુમેધા નામના એક ખૂબ જ ધર્મત્મા બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્ની ખૂબ જ પવિત્ર અને પતિવ્રતા હતી. ભૂતકાળના કેટલાક પાપને કારણે આ દંપતી અત્યંત ગરીબીનું જીવન જીવી રહ્યું હતું. પરિસ્થિતિ એવી હતી કે, બ્રાહ્મણને ભીખ માંગવા છતાં પણ ભિક્ષા મળતી ન હતી, પરંતુ બ્રાહ્મણની પત્ની ખૂબ જ દયાળુ અને ધાર્મિક હતી, તે પોતે ઘરે ભૂખી રહેતી હતી પરંતુ તે દરવાજે આવેલા મહેમાનને ભોજન આપતી હતી.
ગરીબી દૂર કરે છે પરમા અગિયારસ વ્રત
એક દિવસ ગરીબીથી દુઃખી થઈને સુમેધાએ પોતાની પત્નીને વિદેશ જવાનો વિચાર સંભળાવ્યો, ત્યારે તેણે કહ્યું, "સ્વામીજી, ધન અને સંતાન પૂર્નજન્મના દાનથી જ મળે છે, તેથી તેની ચિંતા કરશો નહીં." જેના ભાગ્યમાં હશે તેને અહીં મળશે. પત્નીની સલાહને અનુસરીને બ્રાહ્મણ વિદેશ ગયો નહિ. આ રીતે સમય પસાર થતો રહ્યો. ફરી એકવાર કૌણ્ડિન્ય ઋષિ ત્યાં આવ્યા. બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ પ્રસન્ન મને તેમની સેવા કરી.
કુબેરને મળ્યુ હતુ આ અગિયારસનુ ફળ
દંપતીએ મહર્ષિ પાસેથી ગરીબી દૂર કરવાનો ઉપાય શીખ્યો. ત્યાર બાદ મહર્ષિએ કહ્યું કે, અધિકમાસની પરમ એકાદશીનું વ્રત કરવાથી દુ:ખ, દરિદ્રતા અને પાપકર્મોનો નાશ થાય છે. આ વ્રતમાં નૃત્ય, ગાન વગેરેની સાથે રાત્રિ જાગરણ પણ કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત કરવાથી યક્ષરાજ કુબેર ધનધીશ અને હરિશચંદ્ર રાજા બન્યા. ઋષિએ કહ્યું કે પરમ અગિયારસના દિવસથી પંચરાત્રી સુધી એટલે કે પાંચ દિવસ અને રાત સુધી નિર્જળ ઉપવાસ કરનારને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.
આ પછી સુમેધાએ તેની પત્ની સાથે પરમા એકાદશીનું વ્રત કર્યું અને એક દિવસ સવારે અચાનક ક્યાંકથી એક રાજકુમાર ત્યાં આવ્યો અને તેણે સુમેધાને ધન, ભોજન અને તમામ સાધનો આપ્યા. આ વ્રત કરવાથી બ્રાહ્મણ દંપતીના સુખી દિવસો શરૂ થયા.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir