બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અમદાવાદ / Organizers-police clash at last minute before Dhirendra Shastri's program in Ahmedabad
Malay
Last Updated: 03:21 PM, 27 May 2023
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે બીજા દિવસે બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર ભરાવાનો છે. તો 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય ભરાવાનો છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ મામલે વિવાદ સર્જાયો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા છે. અંતિમ સમયમાં વ્યવસ્થા અંગે પોલીસે સવાલ ઉઠાવ્યા છે.
સ્થળ બદલવા પોલીસનું દબાણઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, અંતિમ સમયમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમનું સ્થળ બદલવા માટે પોલીસ દબાણ કરી રહી છે. જોકે, આયોજકો નિશ્ચિત સ્થળ પર કાર્યક્રમ કરવા મક્કમ છે. કાર્યક્રમની મંજૂરી મેળવવા માટે આયોજકો રાજકીય નેતાઓ પાસે દોટ મૂકી છે. અંતિમ સમયે પોલીસે કાર્યક્રમમાં ફેરફાર કરતા આયોજકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આયોજકોએ કરી આ માંગ
કાર્યક્રમના આયોજકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે જશે તેવું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યો છે. પોલીસ મર્યાદિત લોકો માટે કાર્યક્રમની મંજૂરી આપે તેવી માંગ આયોજકો કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આયોજકો જાહેર કાર્યક્રમ યોજવા તમામ તૈયારી કરી ચૂક્યા છે.
પાસનું પણ કરાઈ ચૂક્યું છે વિતરણ
અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારને લઈ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્ય દરબારના આયોજકો દ્વારા આજે પાસ વિતરણ કરવામાં આવ્યું છે. જગ્યાની ક્ષમતા પ્રમાણે લોકોને એન્ટ્રી આપવામાં આવશે. દિવ્ય દરબારમાં જે લોકો પાસે પાસ હશે તેને જ એન્ટ્રી આપવામાં આવશે.
ટુવ્હિલર અને ફોર વ્હિલર પાર્કિંગની કરાઈ વ્યવસ્થા
લોકો માટે શાયોના રોડ પર પટેલ ડેરી સામેના મેદાનમાં ટુવ્હિલર માટે, આઈઓસી પંપ પાછળ દેવ સિટીના મેદાનમાં ફોર વ્હિલર માટે તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠના મેદાનમાં ટુવ્હિલર, ફોર વ્હિલર સહિત અન્ય વાહનો માટે પાર્કિંગ સુવિધા કરી છે.
આવતીકાલે અંબાજી જશે ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસે અંગે ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટકનું નિવેદન સામે આવ્યું છે. પ્રવિણ કોટકે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે અંબાજી દર્શન કરવા માટે જશે. તેઓ આવતીકાલે હેલિકોપ્ટરમાં અંબાજી જશે. અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પૂજા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ બપોરે 1 વાગ્યે ઈસ્કોન અંબેવેલી અંબાજીમાં વિશ્રામ કરશે. આંબેવેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી ઝુંડાલના કાર્યક્રમમાં જશે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ