બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Priyakant
Last Updated: 10:35 AM, 10 July 2022
ભારત અને ઈરાન વચ્ચે છેલ્લા એક મહિનામાં ત્રણ વખત વાર્તાલાપ થયો છે. જોકે તેમાં ઇરાને પણ વારંવાર એવું જ કહ્યું છે કે, જેમ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધને નજરઅંદાજ કરી ભારત હાલ રશિયાથી ક્રૂડ ખરીદે છે તેમ ઈરાનથી પણ તેલ ખરીદે. જેના વળતરમાં ઈરાન ભારતને ક્રૂડ ખરીદીમાં તમામ સારી સુવિધા આપશે જે હાલમાં રશિયા આપી રહ્યું છે.
ભારત અને ઈરાન વચ્ચે થઈ રહી છે વાતચીત
જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર વિદેશમંત્રી એસ જયશંકર ઈરાનને તેલ નિકાસની છુટ આપવાની માંગ કરી ચૂક્યા છે. જોકે ભારતે હજી સુધી ઈરાનને આ પ્રકારનો કોઈ પાક્કો વાયદો નથી કર્યો. જૂન મહિનામાં ઈરાનના વિદેશમંત્રી આમિર અબ્દોલાહીયા પહેલા નવી દિલ્હીની યાત્રા પર આવ્યા અને તે બાદમાં ઉપવિદેશમંત્રી મેહદી સફારીએ પણ ભારતની મુલાકાત કરી હતી. જે બાદમાં હવે વિદેશ સચિવ વિનય કવાત્રાએ ઈરાનને રાજનીતિક મામલે ઉપ મંત્રી અલી વાઘેરી કની સાથે વાત કરી છે. આ ત્રણેય વાર્તાલાપોમાં બે મુદ્દા પર જ સૌથી વધુ વાત થઈ છે.
આ કારણે ભારત સાથે જોડાવા માંગે છે ઈરાન
2019-19માં અમેરિકાના નેતૃત્વમાં ઈરાન ઉપર પ્રતિબંધ લગવાયો હતો. જેની પહેલા ભારત ઈરાન પાસેથી સૌથી વધુ ક્રૂડ તેલ ખરીદવાવાળો દેશ રહ્યો છે. ભારતે વર્ષ 2019 પછી ઈરાન પાસે ક્રૂડ તેલ ખરીદવાનું બંધ કર્યું છે. ભારત જેવો દેશ જો ફરી ઈરાન પાસેથી ક્રૂડ ખરીદે તો ઈરાનની ઈકોનોમી માટે સારી બાબત કહી શકાય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ