બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Omicron is not common cold, govt concerned about overuse, misuse of drugs, says VK Paul
Hiralal
Last Updated: 07:03 PM, 12 January 2022
દેશમાં ઓમિક્રોન સંચાલિત કોરોનાની ભયંકર ત્રીજી લહેર ચાલી રહી છે તેમ છતાં પણ લોકો જેટલા જોઈએ તેટલા સાવધ નથી તેઓ ઓમિક્રોનની એક સામાન્ય શરદી ગણાવી રહ્યાં છે અને કોઈ સાવધાની રાખતા નથી એટલે હવે કેન્દ્ર સરકારે લોકોને મોટી ચેતવણી આપવી પડી છે. નીતિ આયોગના મેમ્બર વીકે પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લોકો કોરોના કાળમાં વધુ પડતી દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છે જેને લઈને સરકાર ચિંતિત છે.
There should be a rational approach for medicine use. We are concerned about the overuse & misuse of drugs. Don't overuse, it will have aftermath...Have warm water, do gargles in home care: Niti Aayog Member (Health) Dr VK Paul pic.twitter.com/akvAfm4tvw
— ANI (@ANI) January 12, 2022
દવાઓનો વધુ પડતો ઉપયોગ ન કરો, ગરમ પાણી પીઓ- ડો. વી.કે. પોલ
ડો. વી.કે. પોલે જણાવ્યું હતું કે ડ્રગ્સના ઉપયોગ માટે તર્કસંગત અભિગમ હોવો જોઈએ. અમે ડ્રગ્સના વધુ પડતા ઉપયોગ અને દુરુપયોગ વિશે ચિંતિત છીએ. દવાઓનો વધુ પડતો ઉપયોગ ન કરો, ગરમ પાણી પીઓ તથા ઘરમાં જ કોગળા કરો.
Omicron is not common cold, it's our responsibility to slow it down. Let's #MaskUp and get vaccinated, whoever is due. It's fact they (vaccines) are helpful to an extent. Vaccination critical pillar of our COVID response: Niti Aayog Member (Health) Dr VK Paul pic.twitter.com/bEv7Ne8vtp
— ANI (@ANI) January 12, 2022
ઓમિક્રોન સામાન્ય શરદી નથી, તેને હળવો કરવાની જવાબદારી આપણી
પોલે જણાવ્યું હતું કે ઓમિક્રોન સામાન્ય શરદી નથી, તેને હળવો કરવાની જવાબદારી આપણી છે. માસ્ક લગાવો, રસી લો. તે સાચું છે કે રસીઓ એક હદ સુધી મદદરૂપ થાય છે. રસીકરણ એ અમારા કોવિડ પ્રતિસાદનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે.
ડિસ્ચાર્જ બાદ કોરોના ટેસ્ટ કરાવવાની જરુર નથી
દેશમાં કોરોનાની સ્થિતિને માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાંના સાત દિવસ બાદ કોરોનાના હળવા કેસો ધરાવતા લોકો ડિસ્ચાર્જ થઈ શકે છે અને આવા લોકોએ ફરી વાર કોરોના ટેસ્ટ કરાવવાની જરુર નથી. અત્યાર સુધી તો કોરોનામાંથી સાજા થયા બાદ પણ ટેસ્ટ કરાવવાની જરુર હતી પરંતુ હવે ટેસ્ટની જરુર નથી તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.
A sharp surge in COVID cases in India; active cases 9,55,319 as on 12th Jan...High surge noticed globally- 159 countries; Eight countries in Europe reporting an increase of cases by more than 2 times in the last two weeks: Lav Agarwal, Joint Secretary, Health Ministry pic.twitter.com/LD2jpag0if
— ANI (@ANI) January 12, 2022
સરકારે બદલી ડિસ્ચાર્જ પોલિસી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે કોરોના પર પ્રધાનમંત્રી મોદીની સમીક્ષા બેઠક બાદ સરકારે ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કર્યો છે. કોરોનાના લક્ષણોને હળવા અને સાધારણ એમ બે ભાગ પડાયા છે.
ICMRએ બહાર પાડેલી ગાઈડલાઈનની મહત્વની બાબતો
કોરોના દર્દીના સંપર્કમાં આવેલા બધા લોકો માટે ટેસ્ટની જરુર નહીં
વૃદ્ધો અથવા તો ગંભીર બીમારીથી પીડિત હાઈ રિસ્ક વાળા સંપર્કોએ જ કોરોના ટેસ્ટ કરાવે
હોમ આઈસોલેશનમાં બહાર આવેલા લોકો માટે કોરોના ટેસ્ટ જરુરી
કોરોનાના લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવો
60 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ટેસ્ટ જરુરી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ