બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Ajit Jadeja
Last Updated: 02:02 PM, 1 April 2024
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલાએ વિવાદો પર આજે પહેલીવાર જવાબો આપ્યા છે. દલિત સમાજના કાર્યક્રમમાં જવા રૂપાલા પહેલીવાર બોલ્યા છે. દલિત સમાજનો કાર્યક્રમ મારો સત્તાવાર કાર્યક્રમ નહતો. હું દલિત સમાજના કાર્યક્રમમાં પ્રચાર અર્થે ગયો ન હતો. પોતાની ટીપ્પણીઓથી વિવાદમાં આવેલા પરષોત્તમ રૂપાલા આજે રાજકોટમાં સવાલોના જવાબો આપ્યા હતા.વધુમાં તેમણે કહ્યુ કે રાજકોટ લોકસભા બેઠક પર કોઇ ફેરફાર હોય તો તે દિલ્હી દરબારથી નક્કી થશે.
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર વિવાદ બાદ મીડિયા સામે આવ્યા છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યુ કે દલિત સમાજનો કાર્યક્રમ મારો સત્તાવાર કાર્યક્રમ નહતો. હું દલિત સમાજના કાર્યક્રમમાં પ્રચાર અર્થે નહતો ગયો. જ્યારે ક્ષત્રિય સમાજની નારાજગી અંગે જણાવ્યુ કે ક્ષત્રિય સમાજ વિશે મારાથી ટીપ્પણી થઈ તે મારી ભૂલ હતી. ક્ષત્રિય સમાજની લાગણીને હાનિ પહોંચી હોય તો હું માફી માંગુ છું. મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. મને ક્ષત્રિય સમાજ આગેવાનોએ માફ કર્યો છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વધુમાં કહ્યુ હતુ કે,કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરે તે પહેલાથી નક્કી છે. પાર્ટીમાં ઉમેદવાર કોણ હોય તે નક્કી હું નથી કરતો. દિલ્લીથી બોલાવવા અંગે બોલ્યા રૂપાલા મને દિલ્લીમાંથી બોલાવવામાં આવ્યો નથી. હું ગાંધીનગર કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જઈ શકું છું. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના જ છે.
ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન અને ત્યાર બાદ તેમનો થઇ રહેલા વિરોધ પર રુપાલા આજે બોલ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને માફ કર્યો છે. મને આ મામલે કોઇએ દિલ્હી બોલાવ્યો નથી. અને આ બેઠક પર કોઇ ફેરફાર હશે તો દિલ્હી દરબારમાંથી નિર્ણય લેવામાં આવશે.
પરષોત્તમ રૂપાલાથી હવે દલિત સમાજ પણ નારાજ થયો છે. ગોડલમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો નોધવા અરજી કરાઇ છે. મંથલી પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. કાર્યક્રમ કોઇ કામનો ન હોવાના નિવેદનને લઇ દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ગોડલમાં ક્ષત્રિય સંમેલનમાં કરેલા નિવેદનને લઇ દલિત સમાજની લાગણી દુભાઇ છે.
રાજકોટ લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા તાજેતરમાં ક્ષત્રિય રાજા રજવાડા અને બહેન દિકરીઓ પર કરવામાં આવેલા બફાટ બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. જેના કારણે રૂપાલા વિરૂદ્વ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરમાં તેમજ સોશિયલ મિડીયામાં વિરોધ થઇ રહ્યો છે. રાજકોટથી શરૂ થયેલા વિવાદને પગલે ક્ષત્રિય સમાજે ગોંડલમાં જયરાજસિંહ દ્વારા થયેલા રાજકીય સમાધાનને ગેરમાન્ય ગણાવ્યું છે. સાથેસાથે રાજકોટ લોકસભામાં ઉમેદવાર બદલવા માટે માંગણી કરી છે. આમ આ વિરોધની અસર માત્ર રાજકોટમાં જ નહી પણ ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતા તમામ મત વિસ્તારોમાં પડી શકે છે. આ બાબતનો વિસ્તૃત અહેવાલ સ્ટેટ આઇબીએ આપતા ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા કવાયત શરૂ કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા