બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'No one called me to Delhi because rupala

લોકસભા ચૂંટણી 2024 / 'મને કોઇએ દિલ્હી નથી બોલાવ્યો, કારણ કે...', ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે શું બોલ્યા રૂપાલા

Ajit Jadeja

Last Updated: 02:02 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર વિવાદ બાદ મીડિયા સામે આવ્યા છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યુ કે દલિત સમાજનો કાર્યક્રમ મારો સત્તાવાર કાર્યક્રમ નહતો.

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલાએ વિવાદો પર આજે પહેલીવાર જવાબો આપ્યા છે. દલિત સમાજના કાર્યક્રમમાં જવા રૂપાલા પહેલીવાર બોલ્યા છે. દલિત સમાજનો કાર્યક્રમ મારો સત્તાવાર કાર્યક્રમ નહતો. હું દલિત સમાજના કાર્યક્રમમાં પ્રચાર અર્થે ગયો ન હતો. પોતાની ટીપ્પણીઓથી વિવાદમાં આવેલા પરષોત્તમ રૂપાલા આજે રાજકોટમાં સવાલોના જવાબો આપ્યા હતા.વધુમાં તેમણે કહ્યુ કે રાજકોટ લોકસભા બેઠક પર કોઇ ફેરફાર હોય તો તે દિલ્હી દરબારથી નક્કી થશે.

ક્ષત્રિય સમાજ વિશે મારાથી ટીપ્પણી થઈ તે મારી ભૂલ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર વિવાદ બાદ મીડિયા સામે આવ્યા છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યુ કે દલિત સમાજનો કાર્યક્રમ મારો સત્તાવાર કાર્યક્રમ નહતો. હું દલિત સમાજના કાર્યક્રમમાં પ્રચાર અર્થે નહતો ગયો. જ્યારે ક્ષત્રિય સમાજની નારાજગી અંગે જણાવ્યુ કે ક્ષત્રિય સમાજ વિશે મારાથી ટીપ્પણી થઈ તે મારી ભૂલ હતી. ક્ષત્રિય સમાજની લાગણીને હાનિ પહોંચી હોય તો હું માફી માંગુ છું. મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. મને ક્ષત્રિય સમાજ આગેવાનોએ માફ કર્યો છે.

મોહન કુંડારિયા પર બોલ્યા રૂપાલા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વધુમાં કહ્યુ હતુ કે,કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરે તે પહેલાથી નક્કી છે. પાર્ટીમાં ઉમેદવાર કોણ હોય તે નક્કી હું નથી કરતો. દિલ્લીથી બોલાવવા અંગે બોલ્યા રૂપાલા મને દિલ્લીમાંથી બોલાવવામાં આવ્યો નથી.  હું ગાંધીનગર કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જઈ શકું છું. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના જ છે. 

ક્ષત્રિય સમાજે મને માફ કર્યો છેઃ રૂપાલા

ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન અને ત્યાર બાદ તેમનો થઇ રહેલા વિરોધ પર રુપાલા આજે બોલ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને માફ  કર્યો છે. મને આ મામલે કોઇએ દિલ્હી બોલાવ્યો નથી. અને આ બેઠક પર કોઇ ફેરફાર  હશે તો દિલ્હી દરબારમાંથી નિર્ણય લેવામાં આવશે.

 

દલિત સમાજે ફરિયાદ નોધવા કરી છે અરજી

પરષોત્તમ રૂપાલાથી હવે દલિત સમાજ પણ નારાજ થયો છે. ગોડલમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો નોધવા અરજી કરાઇ છે. મંથલી પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.  કાર્યક્રમ કોઇ કામનો ન હોવાના નિવેદનને લઇ દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ગોડલમાં ક્ષત્રિય સંમેલનમાં કરેલા નિવેદનને લઇ દલિત સમાજની લાગણી દુભાઇ છે.

આ પણ વાંચોઃ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાનો પડકાર

ક્ષત્રિયોમાં વધતો રોષ

રાજકોટ લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા તાજેતરમાં ક્ષત્રિય રાજા રજવાડા અને બહેન દિકરીઓ પર કરવામાં આવેલા બફાટ બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. જેના કારણે રૂપાલા વિરૂદ્વ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરમાં તેમજ સોશિયલ મિડીયામાં વિરોધ થઇ રહ્યો છે. રાજકોટથી શરૂ થયેલા વિવાદને પગલે ક્ષત્રિય સમાજે ગોંડલમાં જયરાજસિંહ દ્વારા થયેલા રાજકીય સમાધાનને ગેરમાન્ય  ગણાવ્યું છે. સાથેસાથે રાજકોટ લોકસભામાં ઉમેદવાર બદલવા માટે માંગણી કરી છે. આમ આ વિરોધની અસર માત્ર રાજકોટમાં જ નહી પણ ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતા તમામ મત વિસ્તારોમાં પડી શકે છે. આ બાબતનો વિસ્તૃત અહેવાલ સ્ટેટ આઇબીએ આપતા ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા કવાયત શરૂ કરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Parashottam Rupala Rajkot Lok Sabha seat rajkot પરષોત્તમ રૂપાલા ભાજપ રાજકોટ લોકસભા બેઠક રાજપૂત સમાજ રોષ Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ