બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:54 PM, 23 February 2024
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નિવેદનબાજીઓ ફરી એકવાર શરૂ થઈ છે. અત્રે જણાવીએ કે, લોકસભાની ચૂંટણીમાં ભરૂચની સીટ AAPને ફાળવવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વાતચીત ચાલી રહી છે,હજુ સુધી કોઇ નિર્ણય થયો નથી
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીમાં ભરૂચની સીટ AAPને ફાળવવાની ચર્ચા વચ્ચે મુમતાઝ પટેલનું નિવેદન | National News#loksabha #bharuch #AAP #congress #mumtazpatel #vtvgujarati pic.twitter.com/qWZvBxAiX0
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 23, 2024
ADVERTISEMENT
મુમતાઝ પટેલે શું કહ્યું ?
મુમતાઝ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ પાસેથી સીટ લઇને AAPને આપવાના નિર્ણયથી લોકો દુઃખી છે તેમજ AAPને આ બેઠક આપવાના નિર્ણય સામે રાહુલ ગાંધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. હું અને ફૈઝલ જ અહેમદ પટેલનો પરિવાર નથી પરંતુ ભરૂચ અને કોંગ્રેસ સંગઠન અહેમદ પટેલનો પરિવાર છે. વધુમાં ઉમેર્યું કે, અમે આશા રાખીએ છીએ કે આ સીટ કોંગ્રેસ પાસે રહે
વાંચવા જેવું: મુસ્લિમ પરિવારે ભર્યું રાજપૂતની દીકરીનું મામેરું, સર્જાયા ભાવુક દ્રશ્યો: કહ્યું દરબારને ત્યાં અમે ધર્મના બહેન બનાવ્યા હતા
ADVERTISEMENT
અમે આશા રાખીએ છીએ કે આ સીટ કોંગ્રેસ પાસે રહે: મુમતાઝ પટેલ
મુમતાઝ પટેલે કહ્યું કે, ભરૂચ કોંગ્રેસનો ગઢ છે, અહેમદ પટેલે 45 વર્ષ સુધી ભરૂચનો વિકાસ કર્યો છે. ગઠબંધન નહીં કરે તો AAPને મુશ્કેલી થાય તેવું છે. વધુમાં કહ્યું કે, અમને હાઈકમાન્ડ પાસે સંપૂર્ણ અપેક્ષાઓ છે. તેમજ આ સિટ મુદ્દે રાહુલ ગાંધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. અમે સંપૂર્ણ ભરોષો રાખીએ છીએ કે આ સિટ કોંગ્રેસ પાસે જ રહેશે. તેમણે કહ્યું કે, આમારો બેઝ ભરૂચ સિટ પર મજબૂત છે. જેના માટે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે. કારણ કે, આપનો ત્યાં બેઝ નથી. ભરૂચમાં કોંગ્રેસનો બેઝ મજબૂત છે માટે આ સિટ કોંગ્રેસ પાસે આવવી જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.