બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / MP sagar car fell in 30 feet deep well father and two sons died
Dhruv
Last Updated: 03:30 PM, 29 April 2022
મધ્યપ્રદેશના સાગર ખાતેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં ગુરુવારે રાતે એક અકસ્માતમાં એક શિક્ષક પિતા અને બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ભયાનક અકસ્માત એ રીતે થયો કે જ્યારે તે શિક્ષક પોતાના બાળકોને કારમાં બેસાડીને પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા. એ દરમિયાન તેઓની કારે એકાએક પલટી મારતા જ કાર 5 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ હતી.
ત્રણેયને કુવામાં જોતા જ લોકો ચીસો પાડવા લાગ્યા
આ દર્દનાક અકસ્માત ગુરુવારે રાત્રે લગભગ 9.45 વાગ્યે શહેરની ગોવિંદનગર કોલોનીમાં થયો હતો. જ્યાં વ્યવસાયે શિક્ષક હિમાંશુ તિવારી પોતાના પરિવાર સાથે રહેતો હતો. હિમાંશુ પોતાના બે પુત્રો નિત્યાંશુ (14) ઉર્ફે બિટ્ટુ તિવારી અને ધનંજય (10) ઉર્ફે ધ્રુવ તિવારીને કારમાં બેસાડવાની જીદ પર લઈ ગયો હતો. જ્યારે પત્ની મણિપ્રભા ઘરે હતી. દરમ્યાન શિક્ષક જ્યારે પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે કાર રિવર્સ કરતી વખતે તેમની કાર અચાનક જ કૂવામાં પડી ગઈ. એ જ સમયે કૂવામાં કંઇક પડવાનો અવાજ આવતા જ લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ત્યારે લોકોએ કૂવામાં ઉપરથી જોયું તો તેની અંદર એક કાર ખાબકેલી હતી. બાદમાં શિક્ષકના પરિવારના સભ્યો આવ્યા અને તેઓએ પણ બૂમાબૂમ કરી મૂકી.
બંને પુત્રોની લાશ કારમાં ન હતી
અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. લાંબી જહેમત બાદ ત્રણેયના મૃતદેહ અને કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. જણાવી દઈએ કે, કારની અંદર માત્ર શિક્ષક હિમાંશુ તિવારીનો જ મૃતદેહ હતો, જ્યારે બંને બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. બાદમાં મોટા પુત્રના મૃતદેહને કાંટો નાખીને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ અકસ્માત સ્થળ પર લાગેલા સીસીટીવીની તપાસ કરી રહી છે. જેથી આ મામલે તપાસ કરવામાં વધુ મદદ મળી રહે.
પુત્રની ખુશી માટે શિક્ષક રોજ પોતાના પુત્રને કારમાં લઈ જતા
જણાવી દઈએ કે પત્ની મણિપ્રભાને રાત્રે પતિ અને પુત્રોના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી. પરિવારે માત્ર એટલું જ કહ્યું હતું કે, ત્રણેયની તબિયત સારી છે, હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. આ સાથે પરિવારે જણાવ્યું કે, શિક્ષક પિતા હિમાંશુ દરરોજ ભોજન કર્યા બાદ પોતાના મોટા પુત્રને કારમાં લઇને જતો હતો, કારણ કે તે જન્મથી જ અપંગ છે. પિતાએ તેને ફેરવવા માટે જ કાર ખરીદી હતી. આથી તેને ખુશ કરવા માટે તે દરરોજ પોતાના પુત્રને કારમાં લઈ જતો. પરંતુ ગુરુવારે રાત્રે તેઓ પોતાના બંને પુત્રોને ફરવા લઈ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ