બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Modi goverment take big disition for elactions
Ronak
Last Updated: 07:11 PM, 11 July 2021
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે પાર્ટી કાર્યાલયમાં રાષ્ટ્રીય સચીવો સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને પાર્ટીમાં મોટું પદ મળી શકે છે.
મહાસચિવ કે ઉપાધ્યક્ષનું પદ
બન્નેમાંથી કોઈ એક નેતાને પાર્ટીમાં રાષ્ટ્રીય મહાસચિવ અથયવા ઉપાધ્યક્ષનું પદ મળી શકે છે. સાથેજ આગામી સમયમાં ચૂંટણીને લઈને પણ તેમને પ્રમુખ પદે જવાબદારીઓ આપવામાં આવી શકે છે. આ મામલે જેપી નડ્ડા ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. ભાજપના મુખ્યાલયમાં બેઠક કરવામાં આવી હતી જે બેઠકમાં આગામી ચૂંટણીને લઈને રણનીતી ઘડવામાં આવી હતી.
બેઠક બાદ પીએમ મોદી સાથે મુલાકાત
બેઠક સમાપ્ત થયા બાદ જેપી નડ્ડા અને બીએલ સંતોષ સાથે રાષ્ટ્રીય સચીવ વડાપ્રધાન મોદીના આવાસ સ્થાને પહોચ્યા હતા. બેઠક પહેલા જેપી નડ્ડાએ કહ્યું કે તેમણે તેમનો બે દિવસનો ગોવાનો પ્રવાસ રદ કર્યો કારણકે દિલ્હીમાં બિજા અન્ય કાર્યક્રમો હતા.
જે પી નડ્ડાનો ગોવાનો પ્રવાસ રદ
જેપી નડ્ડા આગામી દિવસોમાં ગોવા જવાના હતા. ત્યા જઈને તેઓ વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીના મંત્રીઓ સાતે બેઠક કરવાના હતા. આ મામલે ગોવાના એકમ પ્રમુખ સદાનંદ શેટ દ્વારા માહિતી આપવામાં આવી હતી, કે જે પી નડ્ડા ગોવા આવવાના હતા.
બંનેએ નેતાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું
ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ 43 નેતાઓએ મંત્રીપદે શપથ લીધી. કોવિડ પ્રોટોકોલ સાથે શપથ સમારોહ વીધી રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવી હતી. તે સમયે રવિશંકર પ્રસાદ તેમજ પ્રકાશ જાવડેકર એ 12 મંત્રીઓની લીસ્ટમાં સામેલ હતા. જેમણે પહેલાજ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ