બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Minister Jitu vaghani, Reviewed the performance of corona in Bhavnagar and Rajkot districts

મહામારી સામે જંગ / ગમે તેવી પડકારજનક પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સક્ષમઃ જીતુ વાઘાણી

Vishnu

Last Updated: 10:41 PM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીતુ વાઘાણીએ રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજ, ભાવનગર સર ટી. હોસ્પિટલ રૂબરૂ મુલાકાત લઈ કોરોના વ્યવસ્થાની સમીક્ષા કરી

  • ભાવનગર સર ટી. હોસ્પિટલની મુલાકાતે વાધાણી
  • રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલની મુલાકાત
  • બંને જિલ્લામાં જીતુ વાઘાણીએ રૂબરૂ જઈ કોરોના કામગીરીની સમીક્ષા કરી


કોરોનાનાં ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર સર ટી.હોસ્પિટલની સજ્જતા, ઓક્સિજનની ઉપલબ્ધતા, કોવિડ બેડની સંખ્યા, જરૂરી મેડિકલ સાધનો, દવાઓ સહિત કોવિડ સામેના જંગ માટેની તમામ તૈયારીઓ અંગે સર ટી. હોસ્પિટલ તંત્ર પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી તેમજ વાઘાણીએ કોરોના વોરીયર્સ સાથે વાર્તાલાપ કર્યો.મેડિકલ હોસ્પિટલ ખાતે બેઠક યોજી રેપીડ ટેસ્ટ, વેક્સિનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.તથા જરૂરી આદેશો આપ્યા હતા.

રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત 
રાજકોટ જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજકોટ આવી પહોંચેલા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર  પટેલે   રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરી છે, જે અન્વયે તમામ પ્રભારી સચિવો તેમના સંબંધિત જિલ્લાઓની મુલાકાત લઈને કોરોનાની પરિસ્થિતિનું સમગ્રતયા આકલન કરી રહ્યા છે. રાજ્ય સરકારે જિલ્લા વહીવટીતંત્રને જરૂરિયાત મુજબનો સ્ટાફ ફાળવવા માટેના અધિકારો આપ્યા છે. નાગરિકોની સલામતીની તમામ વ્યવસ્થા માટે પોલીસ વિભાગ સતત કાર્યરત છે. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "આત્મનિર્ભર ભારત" અંતર્ગત આપણા જ દેશમાં બનેલી કોરોના વિરોધી રસીથી કોરોના સામે રક્ષણ મેળવીને દુનિયાને ભારતની તાકાતનું દર્શન કરાવ્યું છે. કોરોનાનો સામનો કરવા માટેનો   શ્રેષ્ઠ ઉપાય વેક્સિનેશન જ છે, આથી નાગરિકોને મહત્તમ વેક્સિનેશન કરાવવા ખાસ અપીલ છે.

રાજકોટના રસીકરણ કાર્યક્રમના કર્યા વખાણ
રસીકરણના પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા અને બીજા ડોઝમાં ૯૦ % ની સિધ્ધિ હાંસલ કરવા બદલ મંત્રી વાઘાણીએ જિલ્લા વહીવટીતંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા. ૧૫ થી ૧૮ વર્ષ ના રાજકોટ ગ્રામ્યના ૯૫ હજાર અને શહેરના ૮૩ હજાર બાળકોને ૮૦ ટકાથી વધુ રસીકરણ કરવા બદલ આરોગ્ય વિભાગની પણ મંત્રી વાઘાણીએ સરાહના કરી હતી.

૮૩૨૦ બેડ, ૧૦૦ ધન્વંતરી રથ તથા ૫૦ સંજીવની રથ ફરી કાર્યરત થશે
મંત્રી વાઘાણીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા ૮૩૨૦ બેડ તાત્કાલિક ધોરણે તૈયાર કરવાના આદેશો અપાયા છે, જે પૈકી ૬૩૦૦ બેડ હાલ ઉપલબ્ધ છે. રાજકોટ ખાતે ૧૫.૬ મેટ્રિક ટનની ક્ષમતાવાળી ૨૪ ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવી છે, જેથી કોરોનાની ત્રીજી લહેર બાબતે કોઈ પણ પ્રકારના સાધનોની કે સુવિધાની અછત ન સર્જાય.મનુબેન ઢેબરભાઈ સેનેટોરીયમમાં ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આવનારા ૧૦ થી ૧૫   દિવસો દિવસોમાં આરોગ્ય વિભાગની ૪૧૧ ટીમ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘર સર્વે કરીને લોકોને કોરોના સામે રક્ષણ પૂરું પાડશે. આ માટે ૧૦૦ ધન્વંતરી રથ તથા ૫૦ સંજીવની રથને કાર્યરત કરવામાં આવ્યા છે. લોકોને તાવ-શરદી-નબળાઈ જેવા કોઈ પણ લક્ષણો જણાય તો   તરત જ ટોલ ફ્રી નંબર ૧૦૭૫ પર સંપર્ક કરવા મંત્રી વાઘાણીએ અનુરોધ કર્યો હતો. કોરોનાથી બાળકોને બચાવવા માટે ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓ ન આપવા ખાસ ભાર મુક્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ