બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Hiralal
Last Updated: 07:33 PM, 29 November 2023
મણિપુરના યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શાંતિ મંત્રણા પર હસ્તાંક્ષર કરીને યુએનએલએફે હથિયાર હેઠા મૂક્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આ વાતનું એલાન કર્યું હતું. શાહે એક પોસ્ટમાં લખ્યું હતું કે, "એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થયું છે!! પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવાના મોદી સરકારના અવિરત પ્રયત્નોમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ આજે નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
A historic milestone achieved!!!
— Amit Shah (@AmitShah) November 29, 2023
Modi govt’s relentless efforts to establish permanent peace in the Northeast have added a new chapter of fulfilment as the United National Liberation Front (UNLF) signed a peace agreement, today in New Delhi.
UNLF, the oldest valley-based armed… pic.twitter.com/AiAHCRIavy
UNLF શું છે?
24 નવેમ્બર, 1964ના રોજ અરિબામ સમરેન્દ્ર સિંહના નેતૃત્વ હેઠળ સ્થપાયેલ, યુએનએલએફ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરનું સૌથી જૂનું મૈતેઇ વિદ્રોહી જૂથ છે. 70 અને 80ના દાયકામાં, જૂથે મુખ્યત્વે એકત્રીકરણ અને ભરતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1990માં, તેણે ભારતમાંથી મણિપુરની 'મુક્તિ' માટે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કરવાનું નક્કી કર્યું. એ જ વર્ષે તેણે મણિપુર પીપલ્સ આર્મી (એમપીએ) નામની સશસ્ત્ર પાંખની રચના કરી.
યુએનએલએફ અને તેની સશસ્ત્ર પાંખ, મણિપુર પીપલ્સ આર્મી (એમપીએ) મણિપુરમાં કેટલાક મૈતેઇ ઉગ્રવાદી સંગઠનોમાં સામેલ હતા, જેના પર આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રતિબંધ મૂક્યો હતો. પૂર્વોત્તર રાજ્યમાં ચાલી રહેલી હિંસાના પગલે અનેક મૈતેઇ ઉગ્રવાદી સંગઠનોને "ગેરકાયદેસર" જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે તેમની સરકાર ઇમ્ફાલ ખીણ સ્થિત વિદ્રોહી જૂથ સાથે વાતચીત કરી રહી છે તેના થોડા દિવસો બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
A historic milestone achieved!!!
— Amit Shah (@AmitShah) November 29, 2023
Modi govt’s relentless efforts to establish permanent peace in the Northeast have added a new chapter of fulfilment as the United National Liberation Front (UNLF) signed a peace agreement, today in New Delhi.
UNLF, the oldest valley-based armed… pic.twitter.com/AiAHCRIavy
મણિપુરમાં 3 મેથી શરુ થઈ હતી વંશિય હિંસા
મણિપુરમાં આ વર્ષે 3 મેથી વંશિય હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મૈતેઈ સમુદાયની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યું ત્યારે હિંસા ફાટી નીકળી હતી. રાજ્યમાં જ્યારથી હિંસા ફાટી નીકળી છે ત્યારથી અત્યાર સુધીમાં 1800થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરની કુલ વસતીમાં મૈતેઇ લોકોની સંખ્યા લગભગ 180 ટકા છે અને તેઓ મોટે ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નાગા અને કુકીસ સહિત આદિવાસીઓ તેમની વસતીનો 53 ટકા હિસ્સો ધરાવે છે અને મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army